જામજોધપુર તાલુકા ના બાવરીદડ ગામના ખેડૂતનું વરસાદી વાતાવરણમાં બાઇક સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થવાથી અપમૃત્યુ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાવરીદડ ગામમાં રહેતા એક ખેડૂત બાઇક લઈને જતા હતા, દરમિયાન વરસાદી માહોલમાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર નજીક બાવરીદડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પરબતભાઈ ખીમાભાઈ નામના ૫૬ વર્ષના આહિર જ્ઞાતિના ખેડૂત કે જેઓ પોતાનું બાઈક લઈને ગઈકાલે સાંજે વાડિએ ટિફિન દેવા જઈ રહ્યા હતા.
જે દરમિયાન રસ્તામાં વરસાદી વાતાવરણના કારણે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું, અને માથામાં હેમરેજ સહિતની ઈજા થવાથી તેમનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર મહેશભાઈ પરબતભાઈ આહિરે પોલીસને જાણ કરતાં શેઠવડાળા ના એ. એસ આઈ એ. એમ. પરમાર વધુ તપાસ હાથ  છે.