ભુતાનના રાજા તેમની આઠ દિવસની મુલાકાતે ભારત આવી પહોંચ્યા છે.ગુવાહાટી પહોંચતા જ જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકનું આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સ્વાગત કર્યું હતું.
વાંગચુક 3 થી 10 નવેમ્બર દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
ભુતાનના રાજા હોવાની સાથે વાંગચુક ભુતાન સરકારના વરિષ્ઠ અધિકારી પણ છે. હિમંતા બિસ્વા સરમાએ રાજાનું સ્વાગત કરતાં કહ્યું કે તેઓ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ભુતાનના રાજા પીએમને મળશે
દરમિયાન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભૂટાનના રાજા જિગ્મેનું આસામની પ્રથમ સત્તાવાર મુલાકાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાગચીએ કહ્યું કે આ મુલાકાત દરમિયાન ભૂટાનના રાજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ સિવાય વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ભૂટાનના રાજાને મળશે.
મહારાષ્ટ્રની પણ મુલાકાત લેશે
ભુતાનના રાજા પણ મહારાષ્ટ્રની મુલાકાતે જવાના છે. આ એપ્રિલની શરૂઆતમાં, ભુતાનના રાજાએ તેમની ભારત મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.
5 એપ્રિલે PM મોદી અને ભૂટાનના રાજા વચ્ચેની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું હતું કે બંને દેશો ભારત-ભૂતાન સરહદ પર પ્રથમ ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) સ્થાપિત કરવા પર વિચાર કરી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશો પોતાની સુરક્ષાને બધાથી ઉપર રાખે છે અને પોતાના સંબંધોને વધુ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.