જામનગર પોસ્ટ ઓફિસની કામગીરી આમ તો ઘણા સમયથી શંકાના દાયરામાં રહી છે , પરંતુ છેલ્લા ઘણા સમયથી જામનગર પોસ્ટ ઓફિસમાંથી સ્ટાફની અછત હોવાનું જણાવી અને લોકોને તેમના પાર્સલ સમયસર પહોંચાડવામાં આવતા નથી. પોસ્ટ ઓફિસ મારફતે લોકોને ફોન કરી અને પાર્સલ ઓફિસેથી લઈ જવાનું કહેવામાં આવી રહ્યું છે.

જામનગર પોસ્ટ ઓફિસ માંથી લોકોને ફોન આવે છે કે તમારું પાર્સલ આવ્યું છે પરંતુ અહીંયા સ્ટાફ ન હોવાના કારણે પાર્સલ તમે જાતે આવીને જ લઈ જાવ. આમ તો પોસ્ટ દ્વારા પાર્સલ સુવિધા ના નામે લોકો પાસેથી પૂરતા રૂપિયા એટલે કે સર્વિસ ચાર્જ લેવામાં આવે છે પરંતુ પૂરતી સર્વિસ ન આપતા હોવાના કારણે પોસ્ટ ઓફિસ વિરુદ્ધ લોકોમાં રોષ ફેલાયો છે.

જામનગર પોસ્ટ ઓફિસમાં આ પ્રકારે લોકોને ફોન આવવા અને પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા જ સ્ટાફની અછત હોવાનું જણાવવું એ ખરેખર સ્ટાફની અછત છે કે પછી કોઈ મોટા પાર્સલ હોય તો હોમ ડિલિવરી કરવાનું આળસ? તે બાબતે ખરેખર પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ કોઈ સ્પષ્ટતા કરે તો વધુ સારું. જો સ્ટાફની ઘટ હોય તો તાત્કાલિક ધોરણે સરકારે આ ઘટ્ટ પૂરી પાડીને લોકોને પૂરતી સેવાઓ આપવી જોઈએ અને જો ઘટ્ટ ના હોય તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓ પર યોગ્ય મોનિટરિંગ રાખીને કામગીરી કરાવવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.