79-વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના નવા ચહેરા, રાજકારણના જૂના જોગીઓને હંફાવવા ડોર ટુ ડોર: બાળકો-મહિલાઓમાં એમના પ્રત્યે ઉત્સાહ જોઈને ગદ્ગદિત થયાં યુવા પાટીદાર ઉમેદવાર: તમામ સમાજનું સમર્થન મળતું હોવાનો એમનો દાવો
79-જામનગર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ દ્વારા યુવા અને નવા પાટીદાર ચહેરા મનોજભાઈ કથીરિયાને તક આપવામાં આવી છે, ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન તેઓ લોકો સાથે શું સંવાદ કરી રહ્યાં છે? આ સંબંધે એમણે જણાવ્યું હતું કે, હું મારા મત વિસ્તારની જનાતાને બસ એજ વાત સમજાવવા માંગું છું કે, હું માત્ર ધારાસભ્ય નહીં, મારા મત વિસ્તારની પ્રજાના ઘરનો સભ્ય બનવા આવ્યો છું.

એમણે કહ્યું હતું કે, હું મારા મત વિસ્તારમાં જ્યાં-જ્યાં જઈ રહ્યો છું ત્યાં-ત્યાં વૃદ્ધો, યુવાનો, મહિલાઓ અને ત્યાં સુધી કે જેમને હજુ મતદાન કરવાનું નથી એવા નાના-નાના ભૂલકાઓ પણ મને ભરપૂર પ્રેમ આપી રહ્યાં છે, એમની આ લાગણી જોઈને હું ગદ્ગદિત થઈ જાઉં છું અને એટલાં માટે જ મારા મત વિસ્તારની પ્રજાના એક સાચા પ્રતિનિધિ બનવાનો મેં સંકલ્પ કર્યો છે.હું જ્યાં-જ્યાં જાઉં છું ત્યાં-ત્યાં વડીલો, માતાઓ અને યુવાનો મોટા ભાગે મને મારકણી મોંઘવારીની વ્યાપક ફરિયાદ કરી રહ્યાં છે અને એમ કહેતાં સંભળાય છે કે, સીમિત આવકમાં ઘરના બે છેડાં કેવી રીતે ભેગાં કરવા? એ અમને સમજાતું નથી, તમે મોંઘવારી ઓછી કરાવો.હું સામે એવો જવાબ આપું છું કે, અમે હાલમાં સત્તામાં નથી, પરંતુ જો અમે સત્તામાં આવ્યા તો પ્રજાને સૌથી વધુ પીડા આપતી બાબતોનો ઉકેલ લાવવાનો અમે સૌથી વધુ પ્રયાસ કરીશું. દરેક વર્ગની પોતાની અલગ-અલગ સમસ્યાઓ જોવા મળી રહી છે.

હું મારા મત વિસ્તારના મોટા ભાગના વિસ્તારોમાં ફર્યો છું, સ્થાનિક પ્રશ્ર્નો પણ એટલાંબધાં છ કે, જેનો કોઈ ઉકેલ વર્ષોથી આવતો નથી, અત્રે નોંધનિય છે કે, મહાનગર પાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને અફસોસ કે પ્રજાને એમના પ્રશ્ર્નોનો પણ કોઈ નિવેડો મળતો નથી. તો એ જ રીતે ગુજરાતની ભાજપ સરકાર સાથેના સુસંગત પ્રશ્ર્નોને લઈને પણ પ્રજામાં ભારે હતાશા જોવા મળી રહી છે. લોકો એવું ઈચ્છી રહ્યાં છે કે, એમને કમસકેમ ભયાનક સ્તરે પહોંચેલી મોંઘવારીથી રાહત મળે.જ્યારે માતાઓ અને વડીલો મારકણી મોંઘવારી વિશે વાતો કરે છે ત્યારે એમની આંખો પણ ભીની થતી હું જોઈ રહ્યો છું અને આ બધી બાબતોને લઈને મારા દિલમાં મારા વિસ્તારની પ્રજા માટે વધુને વધુ લડત કરવાનો સંકલ્પ લોખંડી બની રહ્યો છે.ઘણાંબધા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર મનોજભાઈ કથીરિયાએ લોકોને અને ઉપસ્થિત મહિલાઓ-યુવાનોને એમ પણ કહ્યું હતું કે, હું પણ એક ગરીબ પરિવારનો જ દીકરો હતો, મેં ગરીબી જોઈ છે, ગરીબની વાતો ભલે બધાં કરતાં હોય પરંતુ વાસ્તવમાં ગરીબની પડખે કોઈ હોતું નથી તેનો મને અહેસાસ છે, પરંતુ હું રાજકીય લોકોની જે છાપ છે કે ચૂંટણી વખતે દેખાયા બાદ લાપત્તા બની જાય છે એવું કરીશ નહીં અને મારા ગરીબ ભાઈઓ માટે હંમેશા કાર્યરત્ રહીશ.ઘણાં લોકોએ કટાક્ષમાં એમ પણ કહ્યું હતું કે, શું તમે ચૂંટણી પછી જોવા મળશો કે નહીં? પ્રજાનો એ સવાલ ઘણાંઅંશે સાચો પણ હતો કારણ કે, ર017ની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના આર.સી. ફળદુ ચૂંટણી જીત્યા બાદ અલાદ્દીનના જીનની જેમ એવા ગાયબ થયાં હતાં કે, પ્રજાને શોધ્યાં જડતાં નહોતાં, અરે બાપડી પ્રજા તો શું બીચારી… પરંતુ એમના પક્ષના જ સંગઠ્ઠનવાળા અને આગેવાનોના મોબાઈલ પણ એ ‘સાહેબ’ ઉપાડતાં નહોતાં!હું આ બધી બાબતો જાણુ છું, પરંતુ હું જૂદી માટીનો માણસ છું અને એટલાં માટે જ એક તક મને આપો પછી તમે જૂઓ કે પ્રજાનો એક સાચો પ્રતિનિધિ, એક સાચો લોકસેવક કેવી રીતે પ્રજાની વચ્ચે રહીને પ્રજા માટે કામ કરે છે… આ તમામ પ્રકારના સંવાદ મનોજભાઈ કથીરિયાએ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન લોકો સાથે કયર્િ છે જે હાલની પરિસ્થિતિને લઈને ખૂબ જ મહત્વના છે.