ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ભાજપ સંપૂર્ણ તાકાત ઉમેરીને મેદાને આવ્યું છે. કેન્દ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. આ વચ્ચે BJP તમામ સીમકરણોને ધ્યાનામાં રાખીને સોગઠા ગોઠવી રહ્યું છે. એક અહેવાલ મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP) વર્ષ 2017 – 19 નાં ચૂંટણી પરિણામઆધારે બીજેપી વિધાનસભાની 4 કેટેગરી તૈયાર કરી છે. એ કેટેગરી મુજબ BJP ચૂંટણી લક્ષી કામગીરી કરશે, જે તે વિસ્તારના માહોલ જોઈને આગળ ચાલતી BJP 150નો ટાર્ગેટ 150 પૂરો કરવા માટે અલગ અલગ સ્ટ્રેટેજી મુજબ કામગીરી કરી રહ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. BJPએ ગુજરાતને 4 કેટેગરીમાં વહેંચી દીધું છે અને તે કેટેગરી મુજબ ડેમેજ કંટ્રોલની કવાયત કરવામાં આવી રહી છે સાથે જ ભાજપ મુરતિયા પસંદગી પણ એજ મુજબ કરશે. BJP માટે આ ચૂંટણી એ પ્રતિષ્ઠાનો જંગ બનશે.

- ભાજપનો પ્રાઈમ વોટર એ શહેરી વિસ્તારનો
- ગુજરાતમાં અંદાજે ૭૦ જેટલી સીટ છે જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદાર અને સુરતનો સમાવેશ
- ભાજપે ૫ સીટ ગુમાવી હતી
- ૧૨ જેટલી સીટ એવી છે જે સેમી અર્બન કહી શકાય
ભાજપે કોઇપણ હિસાબે 150નો ટાર્ગેટ પૂર્ણ કરવો છે અને તેના આધારે બીજેપીએ કામગીરી હાથ પર લીધી છે બીજેપીએ ગુજરાતને 4 કેટેગરી મુજબ વહેંચી દીધું છે અને તેના આધારે જ બીજેપી જે તે વિધાનસભામાં કામગીરી કરી રહ્યું છે. ભાજપનો પ્રાઈમ વોટર એ શહેરી વિસ્તારનો છે એવી ગુજરાતમાં અંદાજે 70 જેટલી સીટ છે જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદાર અને સુરતનો સમાવેશ થાય છે જેમાંથી ભાજપે 5 સીટ ગુમાવી હતી. એટલે કે ભાજપને આ પૈકીની માત્ર 5 સીટ પર વધારે ફોકસ કરવાની જરૂરિયાત છે.
12 જેટલી સીટ એવી છે જે સેમી અર્બન કહી શકાય એટલે કે નાની મહાનગર પાલિકા હોય એટલે કે જૂનાગઢ ગાંધીનગર જામનગર હોય જેમાં ઘણી સીટ એવી છે જે બીજેપીને શહેરી હોવા છતાં ગુમાવવી પડે, કારણકે સામાજિક સમીકરણ સેટ નથી થઇ રહ્યા જેના કારણે બીજેપીને ત્યાં પણ ફોકસ વધારવું પડે આ સિવાય રાજ્યની 100 સીટ એવી છે જેમાં ગ્રામીણ મતદાર વધારે હોય તો એવામાં બીજેપીએ સંપૂર્ણ ફોકસ વધાર્યું છે અને બીજેપીના રાષ્ટ્રીય નેતાઓ હોય કે પીએમ મોદી હોય તેમના કાર્યક્રમ એજ વિસ્તારમાં ગોઠવાઈ રહ્યા છે. તો અમિત શાહ ગ્રામીણ મતદારો સાથે જોડાયેલા એવા સહકારી નેતાઓ સાથે સતત સંપર્ક કરી રહ્યા છે અને ચર્ચાઓ કરી રહ્યા છે. આમ બીજેપી આગામી ચૂંટણીમાં પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે પૂર્ણ તૈયારી સાથે આગળ ચાલી રહી છે જેથી કરી કોઈપણ સીટનું નુકશાન ન થાય અને આગામી ચૂંટણી દરમિયાન એવી સીટ કે જે ઓછા માર્જિનથી જીતી હતી તેમાં આસાનીથી જીત હાંસલ કરી શકાય.