રાજયમાં ફરી આજે કોરોનાએ બે દર્દીઓનો ભોગ લીધો

Today again Corona took two victims in the state

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 200 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 290 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 356 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1,826 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,812 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,56,293 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે આજે બે દર્દીના મોત થયા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,003 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Today again Corona took two victims in the state

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 95 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 33, સુરત કોર્પોરેશનમાં 21, રાજકોટમાં 19, રાજકોટ કોર્પોરેશનમાં 17, સુરતમાં 17, વલસાડમાં 10, બનાસકાંઠામાં 9, વડોદરામાં 8, અમરેલીમાં 6, મોરબીમાં 6, ભરૂચમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 5, સુરેન્દ્રનગરમાં 5, મહેસાણામાં 4, આણંદમાં 3, ગાંધીનગરમાં 3, જામનગર કોર્પોરેશનમાં 3, કચ્છમાં 3, નવસારીમાં 3, પંચમહાલમાં 3, પોરબંદરમાં 3, અરવલ્લીમાં 2, જામનગરમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1 ગીર સોમનાથમાં 1, ખેડામાં 1, સાબરકાંઠામાં 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.

Today again Corona took two victims in the state

જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 142 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 51, સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 6, રાજકોટ કોર્પોરેશનમાં 35, સુરતમાં 5, વલસાડમાં 11, બનાસકાંઠામાં 2, વડોદરામાં 20, અમરેલીમાં 1, મોરબીમાં 4, ભરૂચમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 9, સુરેન્દ્રનગરમાં 1, મહેસાણામાં 10, આણંદમાં 5, ગાંધીનગરમાં 7, કચ્છમાં 7, નવસારીમાં 3, પોરબંદરમાં 1, ખેડામાં 1, સાબરકાંઠામાં 8, અમદાવાદમાં 2, દાહોદમાં 2, ડાંગમાં 5, દેવભૂમિ દ્વારકામાં 2, મહીસાગરમાં 1, પાટણમાં 2 અને તાપીમાં 3 દર્દીઓ સાજા થયા છે.