રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે એ માટે મહાનગરપાલિકાના કમિશનરે રાષ્ટ્રધ્વજ પરત સ્વીકારવાનું કર્યું આવું આયોજન….
હર ઘર તિરંગા અંતર્ગત ખાનગી ઇમારતો પર લગાડવામાં આવેલ રાષ્ટ્ર ધ્વજનું સન્માન જળવાય રહે એ માટે જામનગર મહાનગર પાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ પરત સ્વીકારવાની યોજના બહાર પાડવામાં આવી છે..જેમાં સ્વૈચ્છાએ રાષ્ટ્ર ધ્વજ જામ્યુકોને સોંપવા માંગતા નાગરિકો 17 થી 25 ઓગસ્ટ દરમ્યાન તિરંગો જમા કરાવી શકશે…

મનપા દ્વારા બહાર પડેલી માર્ગદર્શિકા
આપણાં ભારત દેશને મળેલી આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થયા છે ત્યારે કેન્દ્ર સ૨કા૨શ્રી ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હ૨ ઘ૨ તિરંગા અભિયાનમાં ઉત્સાહથી તા.૧૩, ૧૪ અને ૧૫ મી ઓગસ્ટ સુધી નગરજનો જોડાયા તેથી જામનગર મહાનગ૨પાલિકા સૌને અભિનંદન પાઠવે છે અને સાથે સાથે નગ૨જનોને જણાવવાનું કે, આપ સૌના મકાન, દુકાન, ઓફિસ, કારખાના વિ. કોઈ પણ મિલકત ૫૨ ફ૨કાવવામાં આવેલ રાષ્ટ્ર ધ્વજની ગરિમા જળવાય એ રીતે વ્યવસ્થિત આયોજન કરી રાષ્ટ્ર ધ્વજને સ્વૈચ્છાએ જમા કરાવવા માંગતા હોય તો જામનગ૨ મહાનગ૨પાલકાની તમામ વોર્ડ ઓફિસ, તમામ સિવિક સેન્ટર્સ, તમામ આરોગ્ય કેન્દ્ર ૫૨ કામકાજના સમય દરમ્યાન તા.૧૭/૦૮/૨૦૨૨ થઈ તા.૨૫/૦૮/૨૦૨૨ સુધીમાં જમા કરાવી આપવા માનનીય કમિશ્નરશ્રી વિજયકુમાર ખાડી સાહેબ ધ્વા૨ા નમ્ર અપીલ કરવામાં આવે છે જેની સર્વે
નગરજનોને નોંધ લેવા વિનંતી છે.