ભગવાન ભોળાનાથને મનાવવાનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. શિવાલયો પર ભક્તોની ભીડ ઉમટી રહી છે ત્યારે રાજકોટમાં અનોખુ શિવાલય બનાવવામાં આવ્યું છે. આ સાથે જ અહીં ગુજરાતનું સૌથી ઊંચું શિવલિંગ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે જેની ઊંચાઈ 29 ફૂટ અને પહોળાઈ 12 ફૂટ છે. આ શિવલિંગ પર એક લાખ અગિયાર હજાર અને એક સો અગિયાર રુદ્રાક્ષના પારા રાખવામાં આવ્યા છે. લોકો આ શિવલિંગ પર જઈને જળાભિષેક કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે.

રાજકોટ શહેરમાં અનોખુ શિવાલય બન્યું છે. લોકો આ શિવલિંગ પર જઈને અભિષેક કરી શકે તે માટે વિશેષ પણ વ્યવસ્થા કરાઇ છે.શિવજીની સામે રહેલા નંદી પણ મોટો છે જેમની ઊંચાઈ 6 ફૂટ ની છે.તેમજ નંદી આગળ રહેતો કાચબો ત્રણ ફૂટ મોટો છે.

આ વિશાળકાય શિવલિંગ. રાજકોટ શહેરની સંજયભાઈ રાજ્યગુરુ કોલેજ ખાતે બનાવવામાં આવ્યું છે. મંદિરની આસપાસ બે વિશાળ તળાવો પણ બનાવવામાં આવ્યા છે. તેમજ આસપામાં મન મોહક પ્રાકૃતિક પણ છે. આ ભવ્ય મંદિર રાજકોટથી 12 કિલોમીટર દૂર આવેલું છે. શ્રાવણ માસ નિમિત્તે અહીંયા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.