જામનગરમાં બ્રાસના વેપારીઓ પર સ્ટેટ જીએસટીના દરોડા: કરચોરી કરનારાઓની થઈ ધરપકડ

State GST raids on brass traders in Jamnagar: Tax evaders arrested

બોગસ બિલીંગ થકી થતી કરચોરીને ડામવા સ્ટેટ જીએસટી વિભાગ મેદાને ઉતાર્યું છે….બોગસ બિલીંગ ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર જીએસટી સામે વેરાશાખ મજરે મેળવી પ્રમાણસર ઓછા વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારને મોટી રકમનું નાણાકીય નુકશાન પહોંચાડવામાં આવે છે.સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ઉંડાણપૂર્વકના સીસ્ટમ આધારિત સંશોધન અને વિગતોના આધારે તપાસ હાથ ધરી હતી… બધી બોગસ પેઢીઓ શોધી કાઢી અને આવી પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટર્સને શોધી તેઓની વિરૂધ્ધ ધરપકડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. આજ દિન સુધી વિભાગ દ્વારા બોગસ બિલીંગના ગુનામાં 92 કરચોરી કરનારાઓની ધરપકડ કરવામાં આવેલ છે. હાલમાં જામનગર, સુરત, વલસાડ સહિતના સ્થળોએ ખોટી વેરાશાખ ભોગવેલ હોય તેવા બ્રાસપાર્ટ લોખંડના વેપારી તેમજ તેની સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરોને તપાસની કાર્યવાહી હેઠળ આવરી લેવામાં આવેલ છે. સ્ટેટ જીએસટી દ્વારા જામનગરમાં જે સ્થળોએ દરોડા , ૯૨ કરચોરી કરનારાઓની ધરપકડ કરવામાં આવી.

State GST raids on brass traders in Jamnagar: Tax evaders arrested

તેમાં શ્રી શાંતિ મેટલ રિસાયકલીંગ પ્રા.લી., શાંતિ મેટલ ઈન્ડ., ડી.આર. ટ્રેડીંગ કાું., એકટીવ મેટલ પ્રા.લી., ઓમકાર એન્ટરપ્રાઈઝ, માતૃકૃપા ક્ધસ્ટ્રકશન કાું., જય દ્વારકેશ ક્ધસ્ટ્રકશન કાું., રણજીત લોજીસ્ટીક, જામ રણજીત કેરિયર તથા સુરતના રાધારમણ મેટલ પ્રા.લી. અને વલસાડમાં એ.કે. મેટલ પ્રોડકટસ તથા આર.એચ.જે. ટયુબ્સ પ્રા.લી.નો સમાવેશ થાય છે. આ કેસમાં તપાસની કામગીરી હાલ ચાલી રહેલ છે. બોગસ બિલીંગ થકી ભોગવેલ વેરાશાખની વસુલાત માટે વિભાગ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આ તપાસમાં કરોડો રૂા.ની વેરાશાખ ખોટી રીતે ભોગવ્યાનું બહાર આવે તેમ છે.