કોરોનાકાળ દરમિયાન અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા તે પછી હાઇકોર્ટ સમયાંતરે વિવિધ નિર્દેશો અને અવલોકનો કરતુ રહ્યુ છે. ત્યારે હાલની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે હોસ્પિટલોમાં ICU યુનિટ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવુ જોઇએ તેવુ ઓર્બ્ઝવેશન કર્યુ હતુ જેના પગલે હવે અમદાવાદ સહિતના ગુજરાતના તમામ મહાનગર ખાનગી હોસ્પિટલોને નોટિસ ફટકારી અને ICU કેર ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનો આદેશ કર્યો છે જેને પગલે તબીબ આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ અમદાવાદની સાથે સાથે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાળ પર ઉતરી ગયા છે. સુરતની 600થી વધુ હોસ્પિટલોના 3500થી વધુ ડોક્ટરો હળતાળમાં જોડાયા છે. આ સાથે ડોકટરો ઇમરજન્સી અને OPD સારવારથી દૂર રહેશે. હડતાળને પગલે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ વધારવામાં આવ્યો છે.

હોસ્પિટલ એસો. આહનાનોએ કોર્પોરેશનની આ નોટિસ બાદ મહાનગર શાસકોના ગેરવહીવટનો જોરદાર વિરોધ કર્યો છે. આહનાના પ્રમુખ ભરત ગઢવીએ કહ્યું હતું કે ICU હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી. તેમાં ભારે ધોંધાટ અને અવરજવરથી ICUમાં અવરોધો આવી શેક છે તેમજ, સાયન્ટિફિક રીતે ICU નીચે રાખવું શક્ય નથી,કોઇ પણ હોસ્પિટલમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી હોતા. કોરોનામાં દર્દીઓ વધુ હતા છતાં પણ હોસ્પિટલે કામ કર્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર ICU હોય તો પાણી ભરાય તો નુકસાન પણ થઈ શકે છે.સાથે જ કોર્પોરેશન દ્વારા પણ કારણ જાણવાની પણ સલાહ આપવામાં આવી છે.