જામનગરમાં શાંતિ ભવન જૈન દેરાસરમાં અસામાજીક તત્વોએ મચાવ્યો આતંક

Terror in Shanti Bhavan Jain Derasar in Jamnagar

સવારે અંદર ઘૂસેલા 6 શખ્સોએ પૂજારી, ભક્તગણ અને ચોકીદાર સહિતનાઓને માર મારી અંદર તોડફોડ કરી હતી જેમાં એકાએક ઘસી આવેલ શખ્સોએ દેરાસર અંદર મહારાજશ્રીની વિહારમાં સાથે રાખવાના સામાનમાં તોડફોડ કરી. એકાએક હુમલાના પગલે જૈન દેરાસર અંદર ડરનો માહોલ ઉભો થયો હતો તોડફોડ કર્યા બાદ આ શખ્સોએ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોને નિશાન બનાવ્યા હતા આરોપીઓએ દેરાસર બહાર કરવામાં આવેલ ત્રણ કારમાં પણ તોડફોડ કરી નાસી ગયા અને આ બનાવના પગલે જૈન સમાજ સહિત અગ્રણીઓ અને પોલીસનો કાફલો દેરાસર પહોંચ્યો હતો.

Terror in Shanti Bhavan Jain Derasar in Jamnagar

બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને .તાત્કાલિક આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને દબોચી લીધા તેમજ આ બનાવના પગલે એસપી સહિતનો કાફલો સીટી એ ડિવિઝન પહોંચ્યો હતો અને જૈન અગ્રણીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જો કે બનાવ પાછળનું કારણ સ્પષ્ટ નહીં થતા પોલીસે પકડાયેલ શખ્સોનો મનસૂબો જાણવા તપાસ હાથ ધરી તંગ સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો