અનાજ ચોર : દ્વારકા જિલ્લામાંથી સરકારી અનાજ બારોબાર વેંચાણ કરી નાખવાના કોભાંડનો પર્દાફાશ , મુખ્ય સૂત્રધાર મુકેશ દૂધરેજીયા ફરાર

દ્વારકા જિલ્લા પોલીસ તેમજ વહીવટી તંત્રને મળેલ બાતમીના આધારે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી ભાણવડ ત્રણ પાટિયા પાસે વોચ ગોઠવવમાં આવતા ત્યાંથી પસાર થઈ રહેલ એક ટ્રકમાં વગર કોઈ પરવાનગી એ સરકારી અનાજનો જથ્થો વહન થઈ રહેલ હોવાનું સામે આવતા અને તેની તપાસ કરતા આ ટ્રકમાંથી ઘઉ .ચોખાનો મોટો જથ્થો મળી આવતા વધુ તપાસ હાથ ધરતા ભાણવડના વેરાડ ગામે આવેલ એક ખાનગી ગોડાઉનમાં પણ સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.જે મળી કુલ ઘઉં કિલો 8600 ચોખા કિલો 29100 મળી આવેલ તથા એક ટ્રક એમ કુલ કિંમત રૂપિયા 16,25,300 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ત્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરાતા ટ્રક ડ્રાઈવર તથા ખાનગી ગોડાઉન ધારક એ જણાવ્યું હતું કે આ સમગ્ર માલ સરકારી અનાજની ડોર સ્ટોપ ડિલિવરીનો કોન્ટ્રાક્ટ ધરાવનાર મુકેશ દુધરેજીયા દ્વારા અહી બહાર મોકલવામાં આવ્યો છે.જે હકીકત ના આધારે ભાણવડ મામલતદારની ફરિયાદના આધારે પોલીસ એ મુખ્ય સૂત્રધાર મુકેશ દૂધરેજીયા સહિત 3 આરોપીઓ વિરુધ ગુન્હો દાખલ કુલ રૂપિયા 1625300 નો મુદ્દામાલ સિલ કરી આ જથ્થો ક્યા અને કોને મોકલવામાં આવતો વિગેરે દિશામાં તપાસ હાથ ધરી હતી , તો ટ્રક ડ્રાઈવર અને ખાનગી ગોડાઉન ધારક ની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર મુકેશ દૂધરેજીયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે તમામ આરોપી વિરુધ્ધ આવશ્યક ચીજ વસ્તુના કાયદાની કલમ 3,7,8.મુજબ ગુન્હો નોંધાયો હતો.

ત્યારે અત્રે ઉલખેનીય છે કે આ મુખ્ય સૂત્રધાર મુકેશ દૂધરેજીયા હાલ ખંભાળિયા એપીએમસીમાં કોન્ટ્રાક્ટ સંબંધિત કામગીરી કરતાં હોય , જ્યાંથી પણ ખેડૂતોના ચણા સેમ્પલમાં 200 ગ્રામને બદલે 2 થી 3 કિલો નિકાળવાની ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારે હવે સ્પષ્ટ થાય છે કે તે નિયત માપ કરતા વધુ લીધેલા ચણા પણ આ અનાજ ચોર દ્વારા અઘરો અધ્ધર વેચાણ થઇ જતાં હોય તો કોઈ નવાઈ નહિ.. છેલ્લા કેટલાક સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું છે ? અત્યારસુધીમાં કેટલી ચોરી કરાઇ હશે ? જેવા અનેક સવાલો અહી ઉઠી રહ્યા છે ત્યારે પોલીસ તપાસમાં વધુ સત્ય બહાર આવી શકે છે…