અલ્પેશ ઠાકોર , નરેશ પટેલ અને વરુણ પટેલે બતાવી વિક્ટ્રીની સાઇન , ગુજરાતની રાજનીતીમાં નવા જુનીના એંધાણ

જામનગરમાં આજથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોથી યાત્રા દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, વરૂણ પટેલ અને અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર થયા હતા. ઉપરાંત તેઓ આર.સી.ફળદુ તેમજ ભુપેન્દ્ર ચુડાસમા સાથે પણ મુલાકાત કરી.

કોંગ્રેસમાં જોડાવવાની અટકળો વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે ભાજપના ટોચના નેતાઓ સાથે જોવા મળ્યા. જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજાની ભાગવત સપ્તાહમાં નરેશ પટેલ ભાજપના ટોચના નેતાઓ સાથે જોવા મળ્યા. નરેશ પટેલ, વરૂણ પટેલ અને અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર થયા. તો આર.સી.ફળદુ તેમજ ભુપેન્દ્ર ચુડાસમા સાથે પણ તેઓ જોવા મળ્યા. ઉપરાંત તેમણે ફરી એક વખત પ્રશાંત કિશોરને લઇને નિવેદન આપ્યું. નરેશ પટેલે જણાવ્યું કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં ન જોડાયા તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. હું એક સામાજિક કાર્યકર્તા છું. આથી રાજનીતિમાં જોડાવા અનેક સમીકરણો ધ્યાનમાં લેવા પડે છે. હું રાજકારણમાં આવીશ તો એ પક્ષ સાથે જોડાઇશ કે જે સમાજ અને લોકો માટે કામ કરશે.

શ્રીમદ ભાગવત સપ્તાહમાં અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા , નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે નરેશભાઇ ક્યાં પક્ષ સાથે જોડાય તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે પરંતુ સારા લોકોની રાજકારણમાં હમેશા જરૂર હોય છે.અલ્પેશ ઠાકોર , નરેશ પટેલ અને વરુણ પટેલ એક રથમાં જોવા મળ્યા હતા અને તેમના દ્વારા વિકટ્રીનો સિમ્બોલ બતાવવામાં આવ્યો છે એ સિમ્બોલ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ગુજરાતનાં વાંચીતો માટે , ગુજરાતનાં ગરીબો માટે એ સારા સંકેત હશે એટ્લે જુઓ , થોભો અને રાહ જુઓ એમ કહીને આડકતરી રીતે નરેશભાઈના ભાજપમાં જોડવાના સંકેતો આપ્યા છે અને કહ્યું કે નરેશભાઇના જ્યારે પણ રાજનીતિ અંગેના નિર્ણયો થશે એ ગુજરાતની રાજનીતિ માટે ખૂબ જ સારા નિર્ણયો હશે.