જામનગરની કઇ બેઠક પરથી ચૂંટણી લડશે હાર્દિક પટેલ ?

વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીના પડઘમ અત્યારથી જ વાગવા લાગ્યા છે ત્યારે હાર્દિક પટેલ આ વખતે ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે ..લોકસભાની ચૂંટણી સમયે હાર્દિક પટેલે જામનગરથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી તો આ વખતે વિધાનસભાની ચૂંટણી પણ જામનગરથી લડે તેવી અટકળો ચાલી રહી છે..લોકસભાની ચૂંટણી સમયે કાનૂની પ્રક્રિયાના કારણે હાર્દિક પટેલ ચૂંટણી લડી શક્યા ન હતા ત્યારે આ વખતે હાર્દિક પટેલને કોર્ટે દ્વારા સ્ટે આપવામાં આવતા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હાર્દિક પટેલ 2022 વિધાનસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે..

જો જામનગરથી ચૂંટણી લડે તો જામનગર જિલ્લાની કઈ સીટ પરથી હાર્દિક લડી શકે ચૂંટણી?

જામનગર જિલ્લામાં જો હાર્દિક પટેલ ચૂંટણી લડે તો કઈ સીટ પરથી લડી શકે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે ત્યારે જામનગર જિલ્લામાં જ્ઞાતિના સમીકરણોના આધારે જો જોવામાં આવે તો જામનગર ગ્રામ્ય , જામજોધપુર અને કાલાવડ અને જામનગર દક્ષિણની બેઠક એ પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો છે …જેમાં જામનગર ગ્રામ્યની સીટની વાત કરવામાં આવે તો તેના પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે અને ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ તે સીટ પરથી એક વખત હારીને પેટા ચૂંટણીમાં વિજેતા થયા હતા…તો બીજી તરફ જામજોધપુર વિધાનસભાની સીટ પર પણ પાટીદાર સમાજનું પ્રભુત્વ છે અને એ સીટ પર હાલ કોંગ્રેસે કબ્જે કરેલી છે …અને કાલાવડની સીટ પર પાટીદાર મતદારો છે પરંતુ તે અનામત સીટ હોવાના કારણે ત્યાં હાર્દિક પટેલની કોઈ શક્યતા નથી ..જ્યારે જામનગર દક્ષિણની સીટ પર સૌથી વધુ પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે અંદાજિત ૨૭૦૦૦ પાટીદારો મતદારો જામનગર દક્ષિણ બેઠકમાં આવેલા છે જે સીટ પર પૂર્વ કૃષિમંત્રી આર.સી. ફળદુ ધારાસભ્ય છે..

એટલે જો જામનગર ગ્રામ્ય , જામનગર દક્ષિણ કે પછી જામજોધપુરની સીટ પર જ્ઞાતિના સમીકરણો બેલેન્સ કરવામાં આવે તો પાટીદાર મતદારોનું વિભાજન થઈ શકે છે.

એટલે હવે જોવાનું એ મહત્વનું રહેશે કે જો હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડશે તો પૂર્વ કૃષિમંત્રી કે પછી હાલ કૃષિમંત્રી સામે ચૂંટણી લડશે ? તે જોવું મહાવનું રહેશે .લોકસભાની ચૂંટણી સમયે હાર્દિક પટેલે જામનગરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો શું વિધાનસભાની ચૂંટણી લડવા હાર્દિક પટેલ જામનગર જ પસંદ કરશે ? કે પછી સમયાંતરે સમીકરણો જોઈને શું નિર્ણય લેવામાં આવશે તે આવનારો સમય જ કહેશે …