સત્તા ગુમાવવાના સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાની પીએમ ઈમરાનખાને ફરી સ્વતંત્ર વિદેશ નીતિ પર ભાર મુકયો છે. ઈમરાનેકહ્યું હતું કે, આપણી વિદેશ નીતિ સ્વતંત્ર નથી રહી. પાકિસ્તાનને તેના કારણે બહું મોટું નુકસાન થયું હતું. એક સમય એવો હતો કે, પાકિસ્તાનના ડેવલપમેન્ટ મોડેલના ઉદાહરણ અપાતા હતા પણ દેશ પોતાની ક્ષમતા પ્રમાણે દેખાવ નથી કરી શકયો. કારણકે આપણે બીજા પર નિર્ભર રહેવા માંડ્યા હતા. આપણી અંદરની તાકાતને શોધવા માટે અને તેનો ઉપયોગ કરવા માટે આપણેપ્રયત્ન જ નથી કર્યો.
ઈમરાનખાને પોતાની રશિયા યાત્રા પર અમેરિકાની નારાજગી પર કહ્યું હતું કે, રશિયાની મેં યાત્રા કરી તો અમેરિકા પાકિસ્તાનનેસવાલ પૂછી રહ્યું છે અને ગુસ્સે થઈ રહ્યું છે ત્યારે હિન્દુસ્તાન તો રશિયા પાસે ઓઈલ ખરીદી રહ્યું હોવા છતાં પણ અમેરિકા તેનેમદદ કરી રહ્યું છે. બ્રિટન પણ કહી રહ્યું છે કે, અમે ભારતને કશું કહેવા માંગતા નથી. ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને તેનું જઆ પરિણામ છે.
ઈમરાનખાને વિપક્ષ પર હુમલો કરતા કહ્યું હતું કે, આ લોકો કહી રહ્યા છે કે અમેરિકાને નારાજ કરવું જોઈએ નહીં અને અમેરિકાવગર આપણુ કામ આગળ નહીં ચાલે. આ લોકોના કારણે આજે પાકિસ્તાન હાલની સ્થિતિમાં છે. તેમણે આખી દુનિયામાંપાકિસ્તાનની આબરૂના ધજાગરા કર્યા છે. તેમણે વિપક્ષના નેતાઓ અંગે કહ્યું હતું કે, તેમણે પાકિસ્તાનના આર્થિક હિતોનીકુરબાની આપી દીધી છે. જે દેશ પોતાના પગ ઉભો નથી રહી શકતો તે દેશની ક્યારેય કોઈ ઈજ્જત કરતું નથી.