ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગજાપુરામાં તળાવમાં ન્હાતી વખતે ચાર બાળકો ડૂબી ગયા છે. ચાર બાળકોના મોતને પગલે પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. ઘટનાની માહિતી મળતા પોલીસ અને તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઘટનાસ્થળે હાજર છે.

પ્રાથમિક માહિતી મુજબ ગામના કેટલાક બાળકો તળાવમાં ન્હાવા ગયા હતા. જે દરમિયાન ચાર બાળકો ડૂબવા લાગ્યા હતા. બાળકોને ડૂબતા જોઈને સાથે આવેલા અન્ય બાળકોએ ગ્રામજનોને જણાવ્યું કે બાળકો ડૂબી ગયા છે. ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હવે મૃતક બાળકોની ઉંમર 10 થી 12 વર્ષની હોવાનું સામે આવ્યું છે. ચારેય બાળકોના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા છે.
આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં સંજય વીરાભાઈ બારિયા, રાજુ રમેશભાઈ બારિયા (ઉંમર 11 વર્ષ), પરસોત્તમ રાજુભાઈ બારિયા અને અંકિત અરવિંદભાઈ બારિયા (ઉંમર 11 વર્ષ)નો સમાવેશ થાય છે. જેમાંથી 10 વર્ષનો સંજય વીરાભાઇ બારીયા અને 9 વર્ષનો પરસોત્તમ રાજુભાઇ બારીયા એક જ પરિવારના સંતાનો હતા.
બાળકોના મૃતદેહ જોઈ પરિવારમાં શોકનો માહોલ છે.
ઘર નજીક બાળકોના મૃતદેહ જોઈ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવારજનોની ચીસોથી આખું ગામ અસ્વસ્થ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ પહોંચી ગયા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.