જામનગરમાં બાલાજી વેફરના પેકેટ માંથી દેડકો મળી આવ્યો….શું ખાવું? અને શું ના ખાવું? કોના પર ભરોસો અને કોના પર નહીં?

છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાઓ પર ફૂડ વિભાગ દરોડા પાડે છે તો અનેક નામચીન બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ માંથી વંદાની કડવા કોકરોજ નીકળવા અને અખાત્ય ખોરાક મળી આવવો આ પ્રકારની ઘટનાઓ હવે જામનગરમાં સામાન્ય બની ચૂકી હોય તેવું લાગે છે.. આ પ્રકારના બનાવો જ્યારે બને ત્યારે મોટાભાગના લોકો એવું માની લે છે કે બહાર રેસ્ટોરન્ટમાં ખાવું હવે આરોગ્ય માટે સારું નથી માટે જો મજબૂરીમાં બહાર ખાવું હોય તો વેફરના પેકેટ કે બિસ્કીટ એવું ખાઈ લેવું જોઈએ..

પરંતુ બહાર નીકળીને ભૂખ લાગી એ વેફરના પેકેટ ખાતા લોકો માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે.. જેમાં પુષ્કરધામ સોસાયટીમાં એક જસ્મીનભાઈ પટેલ નામના વ્યક્તિએ દુકાનમાંથી 10 રૂપિયાની બાલાજી ક્રન્ચેક્સ વેફરનું પેકેટ ખરીદ્યું હતું. ગ્રાહક ઘરે જઈ અને પેકેટ તોડે છે ત્યારે તેમાંથી દેડકો મળી આવતા તે ફૂડ વિભાગને જાણ કરે છે. ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક તે દુકાને જઈ અને ચકાસણી કરે છે તેમજ એજન્સીઓ સાથે પણ વાતચીત કરી અને આ બનેલી વેફરના સ્લોટ ની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે..

આજના સમયમાં આપણે આપણા નાના બાળકોને વેફર ખાવા માટે લઈ જઈએ છીએ અને મોટાભાગના બાળકો વેફર ખાતા હોય છે. ત્યારે આ કિસ્સો એ માતા-પિતા માટે પણ છે કે જેમના ઘરમાં નાના બાળકો છે અને જેઓ વેફર તેમના સંતાનોને ખવડાવે છે. ચોમાસુ બેસવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વેફર હોય કે રેસ્ટોરન્ટ માંથી મળી આવતી ગંદકી હોય આ તમામ પ્રકારની બેદરકારી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી શકે છે..

માટે જાગો ગ્રાહક જાગો હવે તો લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે શું ખાવું અને શું ન ખાવું કોના પર ભરોસો કરવો અને કોના પર ભરોસો ન કરવો? તેને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.