જામનગર વાલકેશ્વરી વિસ્તારમાં ધારાશાસ્ત્રીના ઘરે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે…એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ ટીમને રોકડ 2100રૂપિયા પુરસ્કાર તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા છે.34 લાખની થયેલ ચોરી માંથી 20,24,000 ની કરાઇ રિકવરી કરવામાં આવી છે….સાડા ચાર લાખની રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ 20,24,000 રકમની કરાઇ રિકવરી કરવામાં આવી છે.ધ્રોલ ખાતેથી ત્રણ શખ્સની કરાઇ અટકાયત કરવામાં આવી છે.એલસીબી દ્વારા કુલ 3 આરોપીની કરાઇ અટકાયત કરવામાં આવી છે.મેળામાં ફુગ્ગા વેંચતા ત્રણ પર પ્રાંતીય લોકો દ્વારા ચોરી કરવામાં આવી હતી.
ક્યારે અને કઈ રીતે કરાઇ હતી ચોરી ?
તા.૧૯/૦૮/૨૦૨૨ થી તા.૨૩/૦૮/૨૦૨૨ ના સમય ગાળા દરમ્યાન ફરીયાદી રાજેશભાઇ અનંતરાય શેઠ ધંધો- એડવોકેટ રહે.જામનગર વાલકેશ્વરી સોસાયટીમા નાઓ તેમના રહેણાંક મકાને તાળા મારી બહારગામ ગયેલ હતા.આ દરમ્યાન રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ફરીયાદીના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડી મકાનનો દરવાજો હથિયાર વડે તોડી મકાનના રૂમ માં આવેલ કબાટ તથા તીજોરીમાંથી સોનાના દાગીના જેમા પાટલા,બંગળી, ગળાનો ચેન, હાર,બુટી,વીંટી,બ્રેસલેટ,સેઇટ,લકકી તથા ચાંદીના દાગીના તથા ધડીયાળ મળી રૂ.૧૨,૨૭,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૨૨,૦૦,૦૦૦/- મળી રૂપીયા ૩૪,૨૭,૦૦૦/-ની ચોરીનો બનાવ બનવા પામેલ હતો.જામનગર સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ગુરન-૧૧૨૦૨૦૦૯૨૧૧૬૦/૨૦૨૨ ઇપીકો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબનો ગુનો નોંધાયેલ સદર ગુન્હો વણ શોધાયેલ હતો.

આ ધરફોડ ચોરીનો બનાવ બનતા જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલ સાહેબની સુચના તેમજ જામશહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ ધરફોડ ચોરીના આરોપીને ત્વરીત પકડી પાડવા માટે એલસીબી.ના પો.ઇન્સ. કે.જે ભોયે નાઓને સુચના કરવામા આવેલ,જેથી એલ.સી.બી.ના પો.સબ ઇન્સ આર.બી.ગોજીયા તથા સી.એમ.કાંટેલીયાની અલગ અલગ ટીમો બનાવી સ્થળ વિજીટ કરી બનાવ સ્થળ આજુબાજુના સીસીટીવી ફુટેજોની ચકાસણી કરી જરૂરી વર્ક આઉટ કરી કરવામા આવેલ, આ દરમ્યાન એલ.સી.બી.પો..સબ.ઇન્સ..સી.એમ.કાંટેલીયા ટીમના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા શીવભદ્રસિંહ જાડેજા ને તેઓના અંગત વિશ્વાસુ બાતમીદાર થી હકિકત મળેલ કે, જામનગર ના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન મેળામાં રમકડા તથા ફુગ્ગા વેચવા માટે મધ્યપ્રદેશ રાજયના અશોકનગર તેમજ વિદીશા જીલ્લાના પરપ્રાંતીય ઇસમો જેમા (૧) રાજુ રામદાસ મોગીયા (૨)
ચાવલા બાબુરામ મોગીયા (૩) અજય વિશ્વ પારધી (૪) મંગલ મંગીલાલ મોંગીયા (૫) સમીર રમેશ મોગીયા નાઓ
જામનગર મુકામે આવેલ,આ ઇસમોએ જામનગર વાલકેશ્વરી સોસાયટીમાં રાત્રી દરમ્યાન દરવાજાના તાળા તોડી ચોરીને અંજામ આપેલ હોવાની હકિકત મળેલ હતી.જેથી જરૂરી વર્ક આઉટ કરી આરોપીઓ બાબતે સચોટ માહિતી એકઠી કરવામા આવેલ હતી.જેમા આ આરોપીઓના નામ સરનામાની વિગત મળેલ હતી, તેમજ ટેકનીકલ સર્વેલન્સના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમારની મદદ લેવામાં આવેલ હતી,.

આ ઇસમોની તપાસ મધ્યપ્રદેશ રાજયના અશોકનગર,વિદીશા,ઉજજૈન,ગુના, જીલ્લામા તેઓના રહેણાક સ્થળે તથા આશ્રય સ્થાનાઓ તેમજ મેળામા ધંધાના સ્થળ ઉતરપ્રદેશ રાજયના અલ્હાબાદ (પ્રયાગરાજ), જમ્મુ કાશ્મીર રાજયના જમ્મુ મુકામે ભગવતીનગર પાર્ક તપાસ કરવામાં આવેલ હતી,તેમજ મજકુર ઇસમો હાલે ધ્રોલ ખાતે સદરહુ ચોરીના દાગીનાઓ વેચવા આવેલ હોવાની હકિકત આધારે,અલગ અલગ ટીમો બનાવી,ધ્રોલ મુકામેથી નીચે મુજબના ઇસમોને પકડી પાડી,મજકુર વિરૂધ્ધ પોલીસ સબ ઇન્સ સી.એમ.કાટેલીયા નાઓએ હસ્તગત કરી, આરોપીઓની કાયદેસર કાર્યવાહી માટે જામ સીટી બી ડીવી પો.સ્ટે ખાતે સોપી આપવામા આવેલ છે.
પકડાયેલઃ-
(૧) રાજુ રામદાસભાઇ મોગીયા ધંધો. રમકડા વેચવાનો રહે.રામનગર તા.મોગાવલી જી.અશોકનગર રાજયઃ-મધ્યપ્રદેશ
(૨) અજયભાઇ વિન્નુભાઇ પારધી ધંધો.રમકડા વેચવાનો રહે.માધોપુર તા.જી અશોકનગર રાજયઃ- મધ્યપ્રદેશ
(૩) ચાવલાભાઇ બાબુરામ મોગીયા ધંધો.રમકડા વેચવાનો રહે.બન ગામ તા.ગુલાબગંજ જી.વિદીશા રાજયઃ-મધ્યપ્રદેશ
> ફરાર આરોપીઃ-
૧) મંગલ માંગીલાલ મોગીયા રહે.બન ગામ તા.ગુલાબગંજ જી.વિદીશા મધ્યપ્રદેશ
૨) સમીર રમેશભાઇ મોંગીયા રહે.બન ગામ તા.ગુલાબગંજ જી.વિદીશા રાજયઃ- મધ્યપ્રદેશ
૩) વિમલાબાઇ બાબુરામ મોગીયા રહે. બન ગામ તા.ગુલાબગંજ જી.વિદીશા રાજયઃ- મધ્યપ્રદેશ.

> રીકવર મુદામાલઃ-
૧) સોનાના અલગ અલગ ડીઝાઇનના દાગીનાઓ ૩૩ તોલા (૩૩૦ ગ્રામ) કિ.રૂ. ૧૫,૫૧,૦૦૦/
> ૨) રોકડ રૂપીયા ૪,૫૦,૦૦૦/-
૩) ચાંદીની ગીની નંગ-૧૫ કિ.રૂ.૧,૦૦૦/
> ૪) ધડીયાળ નંગ-૦૮ કિ.રૂ. ૮,૦૦૦/-
> ૫) મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- ટોટલ રીકવર મુદામાલઃ- રૂ.૨૦,૨૦,૦૦૦/-

> એમ.ઓ.ઃ-
મજકુર ઇસમો અલગ અલગ રાજયમાં તહેવાર દરમ્યાન મેળાઓ ભરાતા હોય,ત્યાં મેળામા રમકડા વેચવા
જઇ રાત્રી દરમ્યાન આજુબાજુ વિસ્તારમાં આવેલ બંધ મકાન ને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતા હતા.
ગુનાહીત ભુમીકાઃ-
પકડાયેલ ઇસમો ”પારધી ગેંગ” ના સાગરીત છે તેલંગણા, રાજયમાં વિજયવાડા,ગનાવરમ,, ગુટુર
મંગલગીરી,કમમ રેલ્વે પો.સ્ટે તથા મધ્યપ્રદેશ રાજયના ના અશોકનગર,શીપરી તેમજ વિદીશા, જીલ્લામાં ચોરીઓને
અંજામ આપેલ હોવાનુ ખૂલવા આપેલ છે.મજકુર ઇસમોની પુછપરછ કરી,આ ગુનાનો વધુ મુદામાલ રીકવર કરવા તેમજ ગુજરાત રાજય તથા અન્ય રાજયમા કયા કયા સ્થળે ચોરીઓ ને અંજામ આપેલ હતી,તે અંગે તપાસ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે
છે.