જામનગર નજીક દરેડમાં આવેલું ખોડીયાર મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ: માત્ર ગુંબજ દેખાયા

જામનગર નજીક દરેડ અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે દરેડ વિસ્તારમાં આવેલું ખોડીયાર મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે, અને માત્ર મંદિરના ગુંબજ દેખાયા છે.
જામનગર નજીક દરેડ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે તેમજ રણજીત સાગર ડેમ અને કંકાવટી ડેમ ઓવરફ્લો થઈ જવાના કારણે રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, અને દરેડ નું ખોડીયાર મંદિર કે જે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મંદિરના માત્ર ગુંબજ દેખાઇ રહ્યા હતા, અને પાણીનો ધસમસતો પ્રવાહ મંદિર પરિસર વિસ્તારમાંથી વહી રહ્યો છે.