Site icon Meraweb

સ્વતંત્ર દિવસને લઈ સરકારે બહાર પડી એડવાઇઝરી! જાણો શું જાહેરાત કરી

The government has issued an advisory on Independence Day! Know what to advertise

દેશ આઝાદીના 75 વર્ષ પુરા થવા પર ધૂમધામથી જશ્ન મનાવી રહ્યો છે. આ તમામની વચ્ચે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ એટલે કે સ્વતંત્રતા દિવસના જશ્ન અને સમારંભને લઈને કેન્દ્ર સરકારે મોટી એડવાઈઝરી જાહેર કરી છે. હકીકતમાં દેશમાં રોજ કોરોનાના સરેરાશ 15,000થી વધારે કેસો સામે આવી રહ્યા છે. આ તમામની વચ્ચે કેન્દ્રએ રાજ્યોને એ નક્કી કરવા કહ્યું છે કે, સ્વતંત્રતા દિવસ સમારંભ માટે કોઈ મોટી સભા ન થવી જોઈએ અને તમામ લોકો કોવિડ ગાઈડલાઈન્સનું એટલે કે દિશા નિર્દેશોનું પાલન કરે. 

કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના દરેક જિલ્લા પ્રમુખ સ્થળ પર સ્વચ્છ ભારત અભિયાન ચલાવવા સ્વૈચ્છિક નાગરિક ભાગીદારીના માધ્યમથી તેને સ્વચ્છ બનાવી રાખવા માટે એક પખવાડીયું અને એક મહિના સુધી ચાલુ રાખવા કહ્યું છે. 

મંત્રાલયે એક એડવાઈઝરીમાં કહ્યું કે, સાવધાની તરીકે કોવિડ 19 વિરુદ્ધ સમારંભમાં મોટી સભાઓથી દૂર રહેવું. આ જરૂરી છે કે, કોવિડ 19ના દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આપેલા આંક઼ડા અનુસાર, દેશમાં કોવિડ 19ના 16,561 નવા કેસો સામે આવવાથી સંક્રમિતોની સંખ્યા વધીને 4,42,23,557 થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો, હાલમાં દેશમાં એક લાખ 23 હજારથી વધારે એક્ટિવ કોરોના દર્દી છે. 

દેશની રાજધાની દિલ્હીમાં પોલીસે સ્વતંત્રતા દિવસ સમારંભને ધ્યાને રાખી શહેરમાં વાહનોની અવરજવર સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, લાલ કિલ્લાની આસપાસ સવારે 4 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી સામાન્ય લોકોના વાહનોની અવરજવર બંધ રહેશે. પોલીસની એડવાઈઝરી અનુસાર, નેતાજી સુભાષ માર્ગ, લોથિયન રોડ, એસપી મુખર્જી માર્ગ, ચાંદની ચોક રોડ, નિષાદ રાજ માર્ગ, એસ્પેલેનેડ રોડ અને નેતાજી સુભાષ માર્ગ તરફ જતો લિંક રોડ, રાજઘાટથી આઈએસબીટી સુધીનો રિંગ રોડ અને ISBYથી આઈપી ફ્લાઈઓવર સુધી બહારી રિંગ રોડ સહિત કુલ આઠ રસ્તાઓ સામાન્ય લોકો માટે બંધ રહેશે.