Site icon Meraweb

જામનગરનો લાખેણું લાખોટા તળાવ જળમગ્ન બની જતાં શહેરીજનો ખુશખુશાલ બન્યા

જામનગર શહેરની શાન એવા લાખેણાં લાખોટા તળાવમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે ભરપૂર માત્રામાં જળ રાશિ આવી છે, અને લાખોટા તળાવ સંપૂર્ણપણે જલમગ્ન બની ગયું છે.
લાખોટા તળાવ ભાગ એક, બે અને ત્રણ પાણીથી લબાલબ બન્યા છે, તેનો અનન્ય નજારો નિહાળીને શહેરીજનો ખુશખુશાલ બન્યા છે.

તળાવમાં હજુ પણ પાણીની આવક ચાલુ રહી છે, તેની સાથે સાથે એસ.ટી. ડેપો નજીકના તળાવના ભાગમાં અલગ અલગ બે કેનાલ મારફતે તળાવનું પાણી ઓવરફ્લો થઈને પણ જઈ રહ્યું છે.
જામનગર શહેર માટે લાખોટા તળાવ ખૂબ જ ઉપયોગી સાબિત થશે, અને ૧વર્ષ સુધી લોકોના ડંકી અને બોર વગેરેના તળ સાજા રહેશે.