જામનગર નજીક દરિયા કિનારે આવેલ ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ તોડવા માટે તંત્ર સક્રીય થયું છે.જામનગરમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટી કાર્યવાહી કરી હોવાનું એસપી પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું છે.સાથે જ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું છે કે દરિયા કાંઠા પર આવેલા તમામ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે , જિલ્લાભરમાં સર્વે થઈ ચૂક્યો છે . આગામી દિવસોમાં તે દબાણોને દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું છે કે ખીજડીયા બર્ડ સેંચૂરીમાં ગેરકાયદેસર બાંધકામ તોડી નાખવામાં આવ્યું છે.૨૫૦૦૦ ફૂટ ઉપરાંતની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.૩૦૦ પોલીસ કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એસપી , એસડીએમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.
જો કે ઉલ્લેખનીય છે કે દરિયાઈ પટ્ટી પર ગેરકાયદેસર બાંધકામને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ દૂર કરવાને લઈને વડાપ્રધાન દ્વારા પર જામનગરમાં સભા દરમિયાન કહેવામાં આવ્યું હતું કે બેટ દ્વારકા બાદ આ સફાઈ અભિયાન સમગ્ર ગુજરાતભરમાં દરિયાઈ પટ્ટી પર કરવામાં આવશે અને સાથે સાથે બેટ દ્વારકામાં , પોરબંદર અને ભુજ બાદ જામનગરમાં મેગા ડીમોલિસનની કામગીરી હાથ ધરવામાં આવી છે .એસપી પ્રેમસુખ ડેલુંના જણાવ્યા અનુસાર જામનગર જિલ્લાની દરિયાઈ પટ્ટીનો સર્વે કરી દેવામાં આવ્યો છે અને આગામી સમયમાં ગેરકાયદેસર તમામ બાંધકામો દુર કરવામાં આવશે.