તાલાલા વિધાનસભાના મતદારો દરેક ચૂંટણીમાં કરે છે પરીવર્તનનો નિયમ લાગૂ: જાણો શા માટે રહે છે તે ચર્ચાસ્પદ

Talala Legislative Assembly electorate changes rule in every election: Find out why it remains controversial

તાલાલા વિધાનસભા બેઠક ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ પક્ષો માટે હંમેશા પ્રતિષ્ઠાનો જંગ રહી છે. ઉપરાંત બેઠકના મતદારો એટલા સચેત છે કે તેઓ દરેક ચૂંટણીમાં પરીવર્તનનો નિયમ લાગૂ કરી દે છે. તેમજ અહીંના મતદારો ભાજપના હોય કે કોંગ્રેસના તે દરેક પક્ષના ઉમેદવારોને જાકારો આપતા રહે છે જેના કારણે આ બેઠકની દરેક નાની મોટી ચૂંટણીઓ ચર્ચાસ્પદ રહે છે. તાલાલામાં થતી ચૂંટણી રસપ્રદ રહેવા પાછળનું એક ખાસ કારણ છે. તાલાલામાં સતત બીજી વાર કોઇ જીતતું નથી. અહીંની જનતા દરેક ટર્મમાં પ્રજા ધારાસભ્યને બદલી નાંખે છે. જેનો ગઢ ગણતો હતો તે જશુભાઇ પણ 2002માં હાર્યા હતા. ગોવિંદભાઇ પરમાર પણ બે વાર હાર્યા હતા.આ બેઠક પર કોઇ પણ પક્ષ માટે પ્રજાનું મન જાણવું મુશ્કેલ કાર્ય છે. 1975માં તાલાલા બેઠકની રચના થઇ હતી. 1975થી 2012 સુધીની ચૂંટણી પર નજર નાંખવામાં આવે તો બીજી ટર્મ માટે કોઇ જીતી શક્યું નથી. ભાજપના ઉમેદવાદ ગોવિંદભાઇ બન્ને વાર જશુભાઇ સામે હાર્યા છે. તાલાલા સીટ એ જનરલ કેટેગરીની સીટ છે.

Talala Legislative Assembly electorate changes rule in every election: Find out why it remains controversial

આ સાથે 2016માં થયેલી ઉપચૂંટણીમાં ગોવિંદભાઈ પરમાર આ સીટ પરથી જીત્યા હતા.જેમાં પહેલા આ સીટ કોંગ્રેસ પાસે હતી. ગુજરાતમાંથી જેમ જેમ કોંગ્રેસનો પ્રભાવ ઓછો થતો ગયો તેમ તેમ અનેક કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યો ભાજપમાં જોડાતા ગયા.આ ઉપરાંત કોંગ્રેસની જુની સીટો પણ ભાજપ પોતાના કબજામાં કરતું ગયું. એ જ શ્રેણીમાં ભાજપે તલાલાની બેઠક પર પણ કબજો મેળવ્યો હતો.આમ જોઈએ તો તાલાલા સીટની ખાસિયતને કારણે આ સીટ જિલ્લામાં ભારે ચર્ચામાં રહી છે.તાલાલા સીટ પર આહિર અને કારડિયા સમાજનું પણ પ્રભુત્વ રહ્યું છે.આ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે આહિર જ્ઞાતિના ભગવાનભાઇ અને ભાજપે કારડિયા જ્ઞાતિના ગોવિંદભાઇને ટીકિટ આપી છે. આમ તાલાલાની આગામી ચૂંટણી ભારે રસપ્રદ બની રહેશે.