સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને નોટીસ આપતા કહ્યું તમારે આખા દેશની માફી માંગવી પડશે. તેમજ તમારા આ નિવેદનને કારણે અખો દેશ ભડકે બળ્યો છે, અને ઉદયપુરમાં બનેલી કમનસીબ ઘટના પાછળ પણ તમારી નિવેદનબાજી જવાબદાર છે. મોહમ્મદ પયંગબરની વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. અને ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં એ અરજી દાખલ કરીને માંગ કરી છે કે, તેમની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ પણ કેસ નોંધાયા છે. તે તમામને દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે. અને ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે તેના પર કડક વલણ અપનાવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટીવી પર આવીને તેઓ દેશની જનતાથી માફી માંગે.
સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. મોહંમદ પયંગબરને લઈને કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા પર કડક વલણ દાખવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યુ કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. નૂપુર શર્માની પયંગબર મોહમ્મદની ટિપ્પણી પર લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.