જીવદયા પ્રત્યે કામ કરવાનો પ્રબળ સંકલ્પઃ શ્રી શત્રુંજ્ય મહાતિર્થ માટેની વધુ સુરક્ષા માટે અવાજ ઉઠાવીશ

જીવદયા પ્રત્યે કામ કરવાનો પ્રબળ સંકલ્પઃ શ્રી શત્રુંજ્ય મહાતિર્થ માટેની વધુ સુરક્ષા માટે અવાજ ઉઠાવીશ

જામનગર 79-જામનગર (દક્ષિણ) વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને યુવા પાટીદાર ઉદ્યોગપતિ મનોજભાઇ કથીરીયાએ ધારાસભ્ય તરીકે મોંઘવારીથી લઇને શિક્ષણને સોંઘા બનાવવાના કેટલાક સંકલ્પ લીધા છે, સાથે સાથે જવા પ્રત્યે કામ કરવાનો પ્રબળ સંકલ્પ જાહેર કર્યો છે અને જૈન સમાજના મતિર્થ સ્થળની વધુ સુરક્ષાની દિશામાં કામ કરવાની પણ ઇચ્છા દર્શાવી છે.

મનોજભાઇએ કહ્યું છે કે હું કિશોરાવસ્થાથી જ જીવદયા પ્રત્યે અનુકંપા ધરાવું છું, ગાય માતાની સુરક્ષા હોય કે કોઇપણ જીવને સુરક્ષીત રાખવાની વાત હોય એ એક માનવી તરીકે આપણી મોટામાં મોટી ફરજ છે એવું મારૂ માનવું છે અને એટલા માટે જ ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જઇને જીવદયા પ્રત્યે ગુજરાતમાં મોટા કાર્યો કરવાની મારી ઇચ્છા છે.

એમને કહ્યું હતું કે જૈન સમાજના શ્રી શત્રુંજ્ય મહાતિર્થ વગેરે જૈન તિર્થોની પવિત્રતા જળવાઇ રહે અને આવા પવિત્ર સ્થળોની સુરક્ષા વધુ લોખંડી બને એ દિશામાં પણ હું કામ કરવા માંગુ છું, મને એવું મહેસુસ થાય છે કે સદંતર અહિંસાને વરાયેલો તથા જીવદયા પ્રેમ પાછળ પોતાનું બધુજ આપી દેવા જે સમાજની તૈયારી છે.


એવા જૈન સમાજના તિર્થ સ્થાનોની યોગ્ય જાળવણી હજુ થતી નથી, ઉપરાંત ભૂતકાળમાં જૈન સાધ્વીજીઓના અકસ્માતના બનાવ પણ ખૂબ બન્યા છે. ભૂતકાળમાં જૈન મહારાજ સાહેબ તથા સાધ્વીજી સાહેબના વિહાર સમયે અકસ્માતના બનાવો બન્યા છે અને કાળધર્મ પામેલ છે, જૈન મહારાજ સાહેબ તથા સાધ્વીજી વિહાર દરમિયાન સુરક્ષાનો લોખંડી પ્રબંધ થવો જોઈએ એ મારી પ્રબળ ઈચ્છા છે, આ અંગે હું મક્કમ રીતે આગળ વધવાનો પ્રયત્ન કરીશ.