ઇંધણ માટે બાળ્યા રસોડા, બંધ કરો ભાવવધારાના હથોડા-મનોજ કથીરીયા

ધણ માટે બાળ્યા રસોડા, હવે નથી ખાવા ભાવવધારાના હથોડા… આ સૂત્ર અત્યંત સૂચક છે, વર્તમાન સ્થિતિનો ચિતાર આપે છે, પ્રજાના દિલમાં રહેલી ચિત્કાર દશર્વિે છે અને હું મારા લોકસંપર્ક દરમ્યાન જેટલા વિસ્તારમાં ફર્યો, જ્યાં જ્યાં ગયો, ડેલીએ ડેલીએ ગૃહિણીઓએ, વૃઘ્ધોએ, યુવાનોએ આ ફરિયાદ કરી છે કે હવે તો આ લોકોએ ઇંધણના ભાવમાં પણ એટલા વધારા ઝીકી દીધા છે કે, રસોડા કેમ ચલાવવા તે સમજાતું નથી, બસ એટલું જ કહીશ કે, પ્રજાની દશા જોઇને સત્તાધીશોને એવું કહેવાનું મન થાય છે કે, હવે બંધ કરો આ ભાવવધારાના હથોડા… પ્રજા સંપૂર્ણપણે પીસાઇ ગઇ છે.

79-જામનગર (દક્ષિણ)ની બેઠકના વિધાનસભાની ચૂંટણીના મુકાબલામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા મનોજભાઇ કથીરીયાને પ્રજાની આ લાગણીનો અહેસાસ થઇ રહ્યો છે, કારણ કે હવે લોકો બોલતા થઇ ગયા છે, બધું સહન કરી લેવા તૈયાર નથી, અને જો પ્રજાની આ લાગણી પર ઘ્યાન આપવામાં નહીં આવે તો પ્રજામાં એક મોટી ક્રાંતિ આવશે અને તખ્તા પલટાઈ જતાં વાર લાગશે નહીં.મનોજભાઇએ કહ્યું છે કે, હું ગરીબીમાં ઉછર્યો, કિશોરાવસ્થા સંઘર્ષમાં વિતાવ્યા, મઘ્યમ વર્ગની સ્થિતિમાં પણ જીવન વ્યતિત કર્યું અને આજે એક સફળ ઉદ્યોગપતિ છું, ગરીબી શું છે? સમજું છું, જાણું છું, મઘ્યમ વર્ગ કેવી માઠી દશામાં છે તેનો અહેસાસ છે, પરંતુ આજે જ્યારે હું સ્વયંમ મારા ડોર ટુ ડોર પ્રચારમાં લોકોને મળી રહ્યો છું ત્યારે લોકો તરફથી રોષ સાથે જે પ્રતિભાવ આવી રહ્યા છે, એ બાબત સ્પષ્ટપણે એવું દશર્વિે છે કે, મારકણી મોંઘવારી સામે પ્રજા નર્કની મન થાય છે કે, હવે બંધ કરો આ ભાવવધારાના હથોડા… પ્રજા સંપૂર્ણપણે પીસાઇ ગઇ છે.યાતના જેવો અહેસાસ કરી રહી છે.

ખાસ કરીને ઇંધણના અને રાંધણગેસના ભાવમાં જે નિર્દયી રીતે ભાવવધારા કરવામાં આવી રહ્યા છે, એક પછી એક ભાવવધારાના હથોડાથી ટીપી ટીપીને પ્રજાને લોખંડમાંથી પત બનાવી દેવામાં આવી છે અને ઇંધણના ભાવવધારાની સર્વવ્યાપી અસર પડી રહી છે, તેના જ કારણે મોંઘવારી બેકાબૂ બની રહી છે, આમ છતાં સત્તાધારીઓ ઇંધણના બેકાબૂ ભાવને નિયંત્રીત કરી શક્યા નથી, એ ભારે અફસોસની વાત છે.આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ક્રુડની કિંમત બેરલ દીઠ 100 ડોલરથી પણ વધુ હતી ત્યારે યુપીએ સરકારના વડાપ્રધાન આદરણીય મનમોહનસિંહજીએ દેશને માત્ર 60 કે 70 પિયાના લીટરે ડીઝલ અને પેટ્રોલ આપ્યા હતા, એ સમય એવો હતો કે જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવમાં જબરો ઉછાળો હતો, છતાં ઇકોનોમીના માસ્ટર એવા મનમોહનસિંહજીએ ભાવવધારાની અસર પ્રજા પર પડવા દીધી ન હતી.

મજાની વાત તો એ છે કે, હાલમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ એ સમય જેટલું મોંઘુ નથી, થોડા મહિના સુધી તો ક્રુડની કિંમત બેરલ દીઠ પ0 ડોલર ઉપર પહોંચી ગઇ હતી, મતલબ કે મનમોહનસિંહ સરકારમાં જે 100 ડોલર હતા, એ મોદી સરકારમાં પ0 ડોલર હતા, આમ છતાં ભાજપનો જાદુ જૂઓ કે, ભાવવધારામાં અડધો અડધ ઘટાડો હોવા છતાં પેટ્રોલને રૂ. 100 અને ડીઝલને રૂપિયા એકસોની નજીક પહોંચાડી દેવામાં આવ્યા.શું આ સત્તાધીશોને એ વાતનું ભાન ન હતું કે, ડીઝલનો ભાવવધારો થાશે એટલે જીવન જરીયાતની ચીજવસ્તુઓમાં અનાજ, તેલ, દૂધ, શાકભાજી, કાપડ, ઘરમાં વપરાતી દરેક ચીજો કે જે ટ્રાન્સપોર્ટેશન આધારિત છે તે બધામાં વધારો થઇ જશે.બધું જાણતા હોવા છતાં ઇંધણના ખંભા પર બેસાડીને મોંઘવારી જેવા મહારાક્ષસને ગુજરાત અને કેન્દ્રની નિષ્ફળ ગયેલી સરકારોએ આગળ વધવા દીધો, પરિણામ એ આવ્યું છે કે, આ ઇંધણ આજે લોકોના રસોડા જ નહીં, આખેઆખા ઘર બાળી રહ્યું છે અને નિરંકુશ મોંઘવારી મઘ્યમ વર્ગને પણ ગરીબ બનાવી રહી છે.મનોજભાઇએ કહ્યું છે કે, લોકો એક ગંભીર વાત યાદ રાખે કે, જો આ જ રીતે ચાલતું રહ્યું અને ભાવવધારાના ઝાટકા સતત લાગતા રહ્યા, તો આવનારા વર્ષોમાં એવું બિહામણું ચિત્ર સર્જાઇ જશે કે આપણા સમાજમાં બે જ વર્ગ રહી જશે, જેમાં એક હશે ગરીબ અને બીજો હશે અમીર, મઘ્યમ વર્ગનો તો જાણે કાંટો જ નીકળી જશે.લોકોની વ્યથા સાંભળીને હાલમાં તો એમને આશ્ર્વાસાન આપવા સિવાય મારી પાસે બીજું કંઇ નથી, પરંતુ આ તકે મારા 79-જામનગર વિધાનસભા વિસ્તારના લોકોને એ વાત કહી દેવા માગું છું કે, તમારી જે સ્થિતિ છે તેનાથી હું વધુ વાકેફ થયો છું અને એટલા માટે જ તમારો લોકપ્રતિનિધિ બનીને તમારો અવાજ ઉપર સુધી પહોંચાડવા મક્કમ છું.એમના આ ડોર ટુ ડોર પ્રચાર દરમ્યાન તમામ વોર્ડમાં એમની સાથે જામનગર શહેરના કોંગી પ્રમુખ વિરેન્દ્રસિંહ ટેમુભા (દિગુભા) જાડેજા, લડાયક ખેડુત આગેવાન પાલભાઇ આંબલીયા ઉપરાંત પાર્થ પટેલ, રંજનબેન ગજેરા, જામ્યુકો વિપક્ષી નેતા આનંદ રાઠોડ, હાર્દિક જોશી, હીનાબેન ચોવટિયા, તેજસ ડોડિયા, નૂરમામદ કુરેશી સાથે રહે છે અને દરેક વૉર્ડના આગેવાનો-કાર્યકરો, મહિલા અગ્રણીઓ એમની સાથે જોડાય છે. બધા વોર્ડમાં મહિલાઓ તરફથી વૃઘ્ધો, યુવાનો તરફથી એમને આ ફરિયાદો મળી રહી હોવાનું એમણે જણાવ્યું છે.