Site icon Meraweb

BIG NEWS: રાજ્યમાં લાયકાત વગરના શિક્ષકો પર આવશે તવાઇ, ખાનગી શાળાઓને રાજ્ય સરકારનું સખ્ત અને સ્પષ્ટ સૂચન

રાજ્ય સરકાર શિક્ષણ મામલે આવી એક્શનમાં રાજ્ય ભરમાં લાયકાત વગરના શિક્ષકો પર તવાઇ આવશે. રાજ્યમાં ખાનગી શાળાઓના લાયકાત વિનાના શિક્ષકોની સરકારે વિગતો મંગાવી છે. જીલ્લા શિક્ષણાધિકારીએ ખાનગી સ્કૂલોમાં પરિપત્ર કરીને માહિતી માંગી છે. છેલ્લા 3 વર્ષમાં કેટલા લાયકાત વગરના શિક્ષકો દૂર કર્યા તેની વિગત આપવાની સૂચના આપવામાં આવી છે.

જો શિક્ષકોને શાળામાંથી દૂર કર્યા ન હોય તો ક્યારે દૂર કરવામા  આવશે, તેની વિગતો આપવા પણ આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે લાયકાત વગરના શિક્ષકો માટે સ્પેશિયલ કોર્સ શરૂ કર્યો હતો..આ કોર્સ નહીં કરનારા અને લાયકાત ન મેળવનાર શિક્ષકોને દૂર કરવા આદેશ કરાયો છે.