Site icon Meraweb

શંકાસ્પદ રીતે કેનેડામા કરાઇ શિખ નેતા રિપુદમનસિંહ મલિકની હત્યા 

Suspicious killing of Sikh leader Ripudaman Singh Malik in Canada:

શિખ નેતા રિપુદમનસિંહ જે નેડાના રહેવાસી હતા તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 1985ના એર ઇન્ડિયા બોમ્બ વિસ્ફોટમાં પણ તેમનું નામ લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2005માં તેમને તે કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ફાયરિંગ સમયે એક ગોળી રિપુદમનસિંહને પણ વાગી હતી જ્યાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સાથે કેટલાક પોલીસ અધિકારીઓએ પ્રાથમિક સારવાર કરી હતી અને તેમને ભાનમાં લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ગોળીઓ નજીકથી મારવામાં આવી હતી તેથી તેઓ બચી ન શક્યા.

આ સાથે રિપુદમનની શા માટે હત્યા કરવામાં આવી તે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મોટે ભાગે રિપુદમનસિંહ હંમેશાથી વિવાદોમાં જોવા મળ્યા છે. તેમના જીવનનો સૌથી મોટો વિવાદ 1985નો એર ઇન્ડિયા વિસ્ફોટ જ રહ્યો. તે સમયે આયરિશ હવાઈ ક્ષેત્રમાં આકાશમાં વિમાનમાં બ્લાસ્ટ થયો અને ઘટનાસ્થળે જ 331 મુસાફરોના જીવ ગયા હતા.જ્યારે તે એક આતંકવાદી હુમલો માનવામાં આવ્યો હતો અને કેટલાક લોકોના નામ સામે આવ્યા હતા. જેમાંથી એક નામ હતું રિપુદમનસિંહ તેમણે ખાલિસ્તાનીથી લઇને અનેક બીજા નામોથી સંબોધિત કરાયા હતા.