ભીષણ ગરમી અને દુષ્કાળ જેવી સ્થિતિના કારણે યુરોપની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, જે બાદ હવે નદીઓમાં પણ સુકાવા લાગી છે. ઢગલાબંધ નદીઓનું જળસ્તર ઘટી રહ્યું છે અને થોડી મહિના પહેલા જે નદીઓ પાણીથી ભરચક હતી, તે નદીઓના હવે તળ દેખાવા લાગ્યા છે. જેનાથી યુરોપ માથે મોટો ખતરો મંડરાઈ રહ્યો છે અને નદીઓનું જળસ્તર જો આવી જ રીતે ઓછુ થતું જાય છે, તો ગંભીર જળસંકટ પણ આવી શકે છે. આ તમામની વચ્ચે નદીઓના પાણી સુકાવાના કારણે હવે રહસ્યમયી ખજાના નદીઓમાંથી મળી રહ્યા છે.

આ વખતે સ્પેનમાં જેટલો દુકાળ પડ્યો છે, તેટલો છેલ્લા એક દાયકામાં જોવા નથી મળ્યો. નદીઓમાંથી પુરાતત્ત્વવિદોને પ્રાગઐતિહાસિકકાળના રહસ્યમય પથ્થરો મળી રહ્યા છે. જેમાંથી આપણી પ્રકૃતિ વિશે કેટલીય જાણકારી મળી શકે છે. આ પથ્થરોને સ્પેનિશ સ્ટોનહેંઝ કહેવાય છે. જે મોટા ભાગે નદીઓના બાંધ અને કિનારા સાથે અડીને આવેલા હોય છે. આ સ્ટોન સર્કલને સત્તાવાર રીતે ગ્વાડલપેરલના ડોલમેન તરીકે ઓળખવામાં આવે છે અને સ્પેનના કેસેરસના કેન્દ્રીય પ્રાંતમાં વાલ્ડેકાનસ જળશયના એક ખૂણામાંથી આ પથ્થર મળ્યા છે. જ્યાં અધિકારીઓના જણાવ્યા અનુસાર જળસ્તર 28 ટકાથી વધારે નીચે આવી ગયું છે. આ અગાઉ વર્ષ 1926માં જર્મનીના પુરાતત્વવિદ હ્યૂગો ઓબરમાયરે તેની શોધ કરી હતી. પણ વર્ષ 1963માં ફ્રાંસિસ્કો ફ્રેંકોની તાનાશાહી અંતર્ગત એક ગ્રામિણ વિકાસ પ્રોજેક્ટન ફેલ થવાથી આ વિસ્તારમાં પુર આવી ગયું હતું. ત્યારથી તે ફક્ત ચાર વાર આખુ દેખાયુ હતું.

યુરોપની શક્તિશાળી નદીઓમાંથી એક ડેન્યૂબ નદી પણ ગરમીના કારમે સુકાઈ ચુકી છે અને આ નદીમાં છેલ્લા 100 વર્ષના ઈતિહાસમાં સૌથી ઓછુ પાણી છે. નદીનું પાણી સુકાઈ જવાથી સર્બિયા નદીની પોર્ટ શહેર પ્રોહોવોની નજીક બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 20થી વધારે જર્મન જહાજો ડૂબી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. વર્ષ 1944માં નાઝી જર્મનીના કાળા સાગર દ્વારા ડેન્યૂબના કિનારે સેકડો જહાજોએ અડ્ડો જમાવ્યો હતો. કારણ કે સોવિયત સંઘની સેનાએ હાર્યા બાદ પાછા ફરી રહ્યા હતા. તો વળી હવે જ્યારે નદીનું પાણી ખૂબ ઓછુ થઈ રહ્યું છે, તો નદીમાં ડૂબી ચુકેલા રશિયાના જહાજ વિશે અલગ અલગ જાણકારી મળી રહી છે અને ખુલાસા થયા છે કે હિટલરના 20થી વધારે જહાજ ડૂબી ગયા હતા.