રિઝર્વ બેંકે રૂપિયામાં વૈશ્વિક વેપારી વર્ગમાં વધતા ઉત્સાહને જોતા બેંકોને ભારતીય મુદ્રામાં આયાત તથા નિકાસ માટે વધુ સારી વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેમાં રિઝર્વ બેંકે એક પરિપત્રમાં કહ્યું છે કે, બેેેંકોને આ વ્યવસ્થા લાગૂ કરતા પહેલા તેને વિદેશી મુદ્રા વિભાગ પાસેથી પૂર્વ અનુમતિ લેવાની રેહશે. આ ઉપરાંત RBIએ કહ્યું કે, ભારતમાંથી નિકાસ વધારવા માટે ભારતીય રૂપિયામાં વૈશ્વિક વેપારી સમુદાયના વધારે પડતા રસને જોતા વૈશ્વિક વેપારને વધારવા માટે એ નક્કી કરવામા આવ્યું છે કે, બિલ બનાવવા માટે, ચુકવણી કરવા અને રૂપિયામાં આયાત-નિકાસ કરવા માટે એક વધારાની વ્યવસ્થા કરવામાં આવે.
વેપાર કરારના સમાધાન માટે સંબંધિત બેંકોની ભાગીદારી વેપારી દેશની એજન્ટ બેંકના વિશેષ રૂપી વોસ્ટ્રો ખાતાની જરૂર પડશે. આ ઉપરાંત સેન્ટ્રલ બેંકે એ પણ જણાવ્યું હતું કે, “આ વ્યવસ્થા દ્વારા, ભારતીય આયાતકારોએ વિદેશી વિક્રેતા અથવા સપ્લાયર પાસેથી માલ અથવા સેવાઓના સપ્લાય માટે ઇન્વોઇસ અથવા બિલ સામે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવી પડશે, જે એજન્ટ બેંકના વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.આવી જ રીતે વિદેશમાં વસ્તુ અથવા સેવાઓની સપ્લાઈ કરનારા નિકાસકારોને તે દેશની બેંકના ખાસ વોસ્ટ્રો ખાતામાં જમા રકમમાંથી ભારતીય રૂપિયામાં ચુકવણી કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ભારતીય નિકાસકાર વિદેશી આયાતકો પાસેથી એડવાંસ ચુકવણી પણ રૂપિયામાં લઈ શકશે.