પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી(AAP)ની હવે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પર નજર છે. હવે પંજાબ બાદ આપ મિશન ગુજરાતને લઈને આગળ વધી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 અને 3 એપ્રિલ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. બે દિવસ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ગુજરાતની ચૂંટણી અંગેની રણનીતિ અને સંગઠનને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે , નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સરદાર મોલ સુધી 2 કિ.મી. સુધી કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં ગુજરાતના આમ આદમીના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.
3 એપ્રિલના રોજ અમદાવાદમાં જ ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના ગુજરાતના મુખ્ય નેતાઓ સાથે બેઠકો કરશે.
2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે , નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સરદાર મોલ સુધી 2 કિ.મી. સુધી કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં ગુજરાતના આમ આદમીના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.
3 એપ્રિલના રોજ અમદાવાદમાં જ ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના ગુજરાતના મુખ્ય નેતાઓ સાથે બેઠકો કરશે.
2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે , નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સરદાર મોલ સુધી 2 કિ.મી. સુધી કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં ગુજરાતના આમ આદમીના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.3 એપ્રિલના રોજ અમદાવાદમાં જ ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના ગુજરાતના મુખ્ય નેતાઓ સાથે બેઠકો કરશે.

આમ આદમી પાર્ટીના જ વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા મુજબ પંજાબમાં ભવ્ય વિજય બાદ હવે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ફતેહ મેળવવા અને ભાજપ સરકાર સામે વધુ મજબૂતાઈથી લડત લડવા માટે એકશન પ્લાન બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે. આમ આદમી પાર્ટી દ્વારા નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજવાના છે.

આ બંને નેતાઓ 2 એપ્રિલે સવારે ગુજરાત આવશે અને ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બેઠક બાદ બપોરે ત્રણ વાગ્યે પૂર્વ વિસ્તારમાં નિકોલ ખોડિયાર મંદિરથી શરૂ થઈ પંચમ મોલ, કોઠીયા હોસ્પિટલ થઈ ઠક્કરબાપાનગર બ્રિજ પાસે રોડ શો પૂરો થશે. આ રોડ શોમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લકઝરી બસો ભરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવશે.
ઉલ્લેખનીય છે કે નિકોલ વિસ્તાર પાટીદારો અને ભાજપનો ગઢ ગણાય છે. ભાજપ દ્વારા તાજેતરમાં જ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં નિકોલમાં જ વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. સૌરાષ્ટ્રના પાટીદાર નેતા અને રાજકારણમાં જોડાવવાની સૌથી વધુ જે ચર્ચામાં છે એવા નરેશ પટેલ પણ બે મહિના પહેલા નિકોલ ખોડિયાર મંદિરથી જ રોડ શો કર્યો હતો. આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ભાજપના ગઢથી ફૂંકશે. સૂત્રો મુજબ પાટીદારોને પોતાની તરફ કરવા માટે આમ આદમી પાર્ટી પૂર્વના નિકોલ વિસ્તારમાં પોતાનો રોડ શો કરશે.
બંને નેતાઓની ગુજરાતની મુલાકાતના કાર્યક્રમને લઇ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ પરમિશન મળી ગયા બાદ આમ આદમી પાર્ટી રોડ શોની ભવ્ય તૈયારીઓ કરશે. અગાઉ બાપુનગર પોલીસ સ્ટેશનથી નિકોલ ખોડીયાર મંદિર સુધીના રોડ શો યોજવાની તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ બપોરનો સમય હોવાથી અને તડકામાં ગરમીને ધ્યાનમાં રાખીને દોઢ કિલોમીટરના આ રોડ શોને ટૂંકાવી દેવાયો છે. રોડ શોમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાવાના છે અને આમ આદમી પાર્ટીનું શક્તિપ્રદર્શન યોજાનાર છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીના આ રોડ શો પર નજર રહેશે.