Site icon Meraweb

વડાપ્રધાન મોદીનો 1 નવેમ્બરનો સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો મોકૂફ, કાલે વડાપ્રધાન મોરબી જાય તેવી શક્યતા

વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહ મિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે તારીખ 1 નવેમ્બર 2022 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પેજ સમિતિ સભ્યોનો ” પેજસમિતિ સ્નેહમિલન કાર્યક્રમ” હાલ મોકૂફ રાખવામાં આવેલ છે જેની દરેક પેજ સમિતિના સભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓએ જાણ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આવતીકાલે વડાપ્રધાન મોરબી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. અત્યારે વડાપ્રધાન મોદી ગુજરાતમાં જ છે. આજે વડાપ્રધાન કેવડિયામાં આજે રાત્રિ રોકાણ કરવાના છે. તેઓ આવતીકાલે મોરબી જઈ મૃતકોના પરિવારને મળી શકે છે. હાલમાં એહવાલ અનુસાર મોરબી નજીકના તમામ મંત્રીને મોરબી પહોંચવા આદેશ આપવમાં આવ્યો છે.