વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહ મિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે તારીખ 1 નવેમ્બર 2022 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પેજ સમિતિ સભ્યોનો ” પેજસમિતિ સ્નેહમિલન કાર્યક્રમ” હાલ મોકૂફ રાખવામાં આવેલ છે જેની દરેક પેજ સમિતિના સભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓએ જાણ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત આવતીકાલે વડાપ્રધાન મોરબી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. અત્યારે વડાપ્રધાન મોદી ગુજરાતમાં જ છે. આજે વડાપ્રધાન કેવડિયામાં આજે રાત્રિ રોકાણ કરવાના છે. તેઓ આવતીકાલે મોરબી જઈ મૃતકોના પરિવારને મળી શકે છે. હાલમાં એહવાલ અનુસાર મોરબી નજીકના તમામ મંત્રીને મોરબી પહોંચવા આદેશ આપવમાં આવ્યો છે.