Site icon Meraweb

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે , ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમના બે દિવસીય પ્રવાસનો પ્રારંભ આજથી થવાનો છે જેમાં મુલાકાતનો આરંભ વિધાનસભાને સંબોધન સાથે થવાનો છે. ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધિત કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ કોવિંદ ધારાસભ્યોને સંબોધશે. રાષ્ટ્રપતિના વિધાનસભામાં સંબોધનને લઇને તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. તમામ ધારાસભ્યોને આ સંબોધન દરમિયાન ઉપસ્થીત રહેવા કહેવાયુ છે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ગુજરાત પ્રવાસ દરમિયાન કાર્યક્રમની રૂપરેખા

સમય કાર્યક્રમસવારે 10.55 વાગે વિધાનસભા સંકુલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું આગમનસવારે 11.05 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાષ્ટ્રપતિ આગમનને લઇને સ્પીચસવારે 11.15 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગૃહને 30 મિનિટ સંબોધશેસવારે 11.45 વાગે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આભાર વિધી કરાશેસવારે 11.50 વાગે રાષ્ટ્રગીત સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન..

તો વિધાનસભા ગૃહના કામકાજના સમયમાં પણ એક કલાકનો વધારો કરાયો છે. રાષ્ટ્રપતિના આ સંબોધન દરમિયાન રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત પણ ઉપસ્થિત રહશે. ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરાં થયા છે અને એ નિમિત્તે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે, તેના ભાગરૂપે રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાના માધ્યમથી રાજ્યની જનતાને સંદેશો આપશે. શુક્રવારે રાષ્ટ્રપતિ જામનગરની મુલાકાતે જવાના છે. જ્યાં નેવીના જહાજ આઇએનએસ વાલસુરામાં યોજાનારા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે..મહત્વનુ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો છ વર્ષનો કાર્યકાળ આગામી જૂન ૨૦૨૨માં પૂર્ણ થઇ રહ્યો છે.આગામી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે ચૂંટણી યોજાય એ પહેલાં તેમનો આ ગુજરાત પ્રવાસ મહત્વનો બની રહે તેમ છે.