19 એપ્રિલના રોજ પીએમ મોદીના કાર્યક્રમને લઈને જામનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે .જામનગર ખાતે ગ્લોબલ  સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિનનું  શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થશે જેને લઈને તંત્ર દ્વારા તૈયરીઓ કરવામાં આવી રહી છે .

19 એપ્રિલના રોજ પીએમ નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવવાના છે ત્યારે WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિનનું  શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થવા જઇ રહ્યું છે ..ત્યારે આ કાર્યક્રમમા તેમની સાથે મોરિશિયસના વડાપ્રધાન , ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને WHO ના ડીજી , રાજ્યકક્ષાના માંતરીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડરો તેમજ સ્થાનિક આગેવાનો અને  આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે .સંયુકત રાષ્ટ્રનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટર ભારતમાં તૈયાર થવા જઇ રહ્યું છે અને એ પણ જામનગરમાં આથી આ જામનગર માટે એક ઐતિહાશિક ઘટના કહી શકાય .આના લીધે પરંપરાગત ચિકિત્સાઓ દ્વારા યોગદાનમાં વૃદ્ધિ  થશે.

પીએમ મોદીના જામનગર પ્રવાસને લઈને પોલીસતંત્ર દ્વારા પણ સુરક્ષા વ્યસ્વ્થાને ધ્યાનમાં લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે .જેમાં પોલીસ દ્વારા ચેકિંગ તેમજ એસોપી એટલેકે પીએમ પ્રોટોકોલ પ્રમાણે સુરક્ષા વ્યસ્થાની તૈયારીઓ કરવામાં આવી રહી છે .રોડ બંદોબસ્તથી માડીને સભા બંદોબસ્ત માટેની તમામ તૈયારીઓ કરવા પોલીસતંત્ર ઊંધા માથે લાગ્યું છે .અલગ અલગ વૈકલ્પિક માર્ગોને લઈને પણ તે માર્ગો પર પણ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે.બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Bomb Squad
Dog Squad

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીએમ મોદી 19 માર્ચના રોજ   બપોરે 1:20 વાગ્યે જામનગર પહોંચશે ત્યારબાદ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશીનનું ખાતમુહૂર્ત કરશે અને ત્યારબાદ ત્યાં કાર્યક્રમમાં સંબોધન કરીને સર્કિટ હાઉસ ખાતે જમવા માટે જશે અને ત્યારબાદ અંદાજિત 5:00 વાગ્યે જામનગરથી પરત જવા માટે રવાના થશે ……

 WHO નું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિન સેન્ટર એ જામનગર માટે એક ઐતિહાશિક ઘટના બની રહેશે …. સંયુકત રાષ્ટ્રનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટર ભારતમાં તૈયાર થવા જઇ રહ્યું છે અને એ પણ જામનગરમાં જેના કારણે જામનગરનું નામ ફરી  એક વખત વિશ્વસ્તરે ચમકશે .