જામનગર શહેરમાં ગઈકાલે ભવ્ય શિવ શોભા યાત્રાનું આયોજન કરાયું હતું..કોરોના કાળના કારણે 41 વર્ષથી યોજાતી શોભા યાત્રા મોકૂફ રહી હતી ….ત્રણ વર્ષ બાદ ગઈકાલે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરાયું હતું….ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શિવ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું…આ પૂર્વે પાલખીનું પૂજન કર્યું હતું… ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાલખીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી…જેમાં સાંસદ પૂનમબેન માડમ શિવ શોભાયાત્રા દરમિયાન શિવમય બન્યા હતા… સાંસદ પૂનમબેન માડમ ખૂબ જ ધાર્મિક રુચિ ધરાવતા હોવાથી તેઓ શિવ શોભાયાત્રા દરમિયાન ડમરુ વગાડતા નજરે પડ્યા હતા… નગર ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી….