વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાની શકયતા છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 24એપ્રિલના જામનગર આવી શકે છે.ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM)ની સ્થાપનાને 9 માર્ચે મંજૂરી મળી છે.આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM ની સ્થાપના કરવામાં આવશે.જેના શિયાન્યાસ માટે વડાપ્રધાન આવી શકે છે.સંભવિત 24 એપ્રિલના દિવસને લઈને આયુષ મંત્રાલય દ્વારા વડાપ્રધાનના કાર્યકમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક દૂરનું કેન્દ્ર (ઓફિસ) હશે.વિશ્વસ્તરે ફરી જામનગરને ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થશે …