પીએમ મોદીના આગમનને લઈને સમગ્ર જામનગરમાં પોલીસ દ્વારા કિલ્લેબંધી

19 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રવાસે છે તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર શહેરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા

19 એપ્રિલના રોજ બપોરે ૧: ૨૦ કલાકે વડાપ્રધાન જામનગર પહોંચશે , ત્યારબાદ એરફોર્સ સ્ટેશનથી બાય રોડ સર્કિટ હાઉસ ખાતે જશે તે રૂટ પર લોકો વડાપ્રધાનનું ઉદ્બોધન કરવા રોડ પર રહેશે અને વડાપ્રધાન પોતાની કારમાંથી જ લોકોનું ઉદ્બોધન સ્વીકારશે.ત્યારબાદ બપોરે સર્કિટ હાઉસ ખાતે ભોજન લેશે અને ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યે જામનગરથી દસ કિલોમીટરના અંતરે આવેલ ગોરધનપર ખાતે WHO નું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશીનનું ખાતમુહુર્ત કરશે અને ત્યારબાદ અંદાજિત ૫:૦૦ વાગ્યે તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે.

GlobalCenterfortraditional medicine At Gordhanpar.

વડાપ્રધાન સાથે કોણ કોણ રહેશે ઉપસ્થિત?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રવાસે છે ત્યારે તેમની સાથે મોરેશિયસના વડાપ્રધાન , આયુષમંત્રીઓ , WHO ના ડીજી , ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ , ૧૯ દેશોના એમ્બેસેડરો તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે .અંદાજિત બે થી ત્રણ હજાર લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે માત્ર વિશેષ આમંત્રિત લોકોને જ આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

કેવી છે સુરક્ષા વ્યવસ્થા ?

પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને જામનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.સમગ્ર જામનગર કિલ્લેબંધીમાં ફેરવાયું છે.૭ આઇપીએસ , ૨૨ ડીવાયએસપી , ૬૦ પીઆઈ અને ૧૫૦ પીએસઆઈ સહિત રાજ્યભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો છે.સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ જામનગર પહોંચી છે.

સંયુક્ત રાષ્ટ્રનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટર જામનગરમાં સ્થપાશે …..

નવેમ્બરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેસીડીન સેન્ટર બનાવવાની જાહેરાત થઈ હતી. જેને માર્ચમાં કેન્દ્ર સરકાર દ્રારા મંજુરી આપવામાં આવી હતી. જે માટે જામનગર શહેરની પસંદગી થઈ છે. રાજય સરકાર દ્રારા આ માટે જામનગર નજીક 35 એકર જમીન ફાળવણી કરવામાં આવી છે. શહેરથી અંદાજી 10 કિમી દુરના અંદરે ગોરધનપરની જમીન પર આ વિશાળ સંકુલ તૈયાર થશે. જે માટેની તૈયારીઓનો યુધ્ધના ધોરણે ચાલે છે. અંહી રાત-દિવસ કામગીરી શરૂ કરવામાં આવી છે. કરોડોના ખર્ચે તૈયાર થનારા ગ્લોબલ સેન્ટરના શિલાન્યાસ માટે અગામી તા.૧૯મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવે તેવી શક્યતા પણ સેવાઇ રહી છે. આ સ્થળે વિશ્વ આરોગ્ય સંસ્થાના સભ્ય એવા 138 સભ્ય દેશોની પરંપરાગત ચિકિત્સા પધ્ધત્તિના અભ્યાસ, સંશોધન, ચિકિત્સા પધ્ધતિઓ માનવ કલ્યાણના ઉપયોગમાં આવે તે માટે કેન્દ્રમાં કામગીરી કરવામાં આવશે. આ કેન્દ્ર માટે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર દ્વારા રૂ.250 મીલીયન ડોલરનું બજેટ રાખવામાં આવ્યું છે. જે કેન્દ્રથી આરોગ્ય ક્ષેત્રે જામનગર અને દેશનુ ગૌરવભર્યુ પ્રાપ્ત થશે.