જામનગર દરેડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં સરકારી ગ્રાન્ટના નાણાની ઉચાપત મામલે પોલીસ ફરિયાદના આદેશ

જામનગર દરેડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વધુ એક વખત વિવાદમાં સંપળાયું છે. અહીંયા થી ભૂતકાળમાં બદલી પામેલા બે કર્મચારીઓ વિરુદ્ધ તપાસ વધુ તીક્ષણ બની છે. સરકારી નાણા ઉચાપત મામલે ગાંધીનગર ઉચ્ચ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જામનગર દરેડ માં આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં સરકારી ગ્રાન્ટના નાણાની ઉચાપત થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારબાદ ગાંધીનગરના અધિકારીની સૂચનાઓ મુજબ આ ભવનમાંથી બે લેકચરની બદલીઓ કરવામાં આવી હતી તેમાંથી એક લેકચર અને છોટાઉદેપુર અને બીજાને આણંદ મૂકી દેવામાં આવ્યા હતા.

ઉચ્ચ અધિકારી એસ.જે.ડુમરાળીયાએ મામલાને ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશો આપ્યા અને પ્રાથમિક વિગતોમાં કુછતો ગડબડ હે જેવા સંકેતો મળ્યા હતા જેથી ઓડિટ વિભાગને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની સૂચનાઓ આપવામાં આવી તેમજ કેટલી રકમની ઉચાપત થઈ છે તે બાબતની તપાસ કરવાના આદેશો અપાયા છે અને જે કસૂરવાર હોય તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ સૂચનાઓ અપાઇ છે.