Site icon Meraweb

બિહારમાં નવી સરકાર! 7 પાર્ટીઓ મળીને મહાગઠબંધન બનાવશે સરકાર

New government in Bihar! 7 parties will form a grand coalition government

બિહારમાં ભાજપ-જેડીયૂની એનડીએની સરકાર પડી ગયા બાદ નવી સરકારના ગઠનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બુધવારે 10 ઓગસ્ટના બપોરે બે કલાકે નીતિશ કુમાર 8મી વાર મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. તો વળી આરજેડી નેતા તેજસ્વી યાદવ બીજી વાર ડેપ્યુટી સીએમના શપથ લેશે. બિહારની 164 ધારાસભ્યોવાળી મહાગઠબંધનવાળી સરકારની ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગઈ છે. કહેવાય છે કે, 35 ધારાસભ્યોનું એક મજબૂત મંત્રીમંડળ બનાવાની તૈયારી છે. જેડીયૂ અને આરજેડી કોટામાંથી 14-14 મંત્રી બનાવામાં આવશે. તો વળી સાત મંત્રી અન્ય પાર્ટીઓના હશે. કુલ સાત પાર્ટી આ મહાગઠબંધનમાં સામેલ થશે. 

આપને જણાવી દઈએ કે, નીતિશ કુમારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળીને પોતાનું રાજીનામું સોંપ્યુ, ત્યાર બાદ ડાયરેક્ટ રાબડી આવાસ પર પહોંચ્યા, જ્યાં તેની મુલાકાત તેજસ્વી યાદવ સાથે થઈ. રાબડી આવાસથી તેજસ્વી યાદવ સાથે ફરી રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. બંનેએ રાજ્યપાલને મળીને મહાગઠબંધનની સરકાર બનાવાનો દાવો કર્યો. નીતિશ કુમારે રાજ્યપાલને 164 ધારાસભ્યોના સમર્થવાળો પત્ર પણ સોંપ્યો હતો. નીતિશે દાવો કર્યાના થોડા કલાક બાદ રાજભવન તરફથી તેમને આજે શપથ માટેનો સમય આપવામાં આવ્યો છે. બપોરે બે કલાકે નીતિશ કુમારની નવી સરકારના શપથગ્રહણ યોજાશે. 

કહેવાય છે કે, મહાગઠબંધનમાં કુલ સાત પાર્ટીઓ સામેલ છે. જેડીયૂ, આરજેડી, કોંગ્રેસ, હમ, લેફ્ટ સહિત બે અન્ય પાર્ટીઓ પણ છે. સરકારમાં તમામ પાર્ટીઓની ભાગીદારી રહેશે. નવી સરકારમાં જેડીયૂ અને આરજેડી કોટામાંથી 14-14 મંત્રી રહેશે. તો વળી કોંગ્રેસે ત્રણ અને લેફ્ટના બે મંત્રાલય આપવામાં આશે. જીતનરામ માંઝીની પાર્ટીને પણ એક મંત્રાલય મળશે. જો કે, હાલમાં મંત્રીમંડળના વિસ્તરણની કોઈ પાક્કી ખબર સામે આવી નથી. ફક્ત મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમના શપથગ્રહણની વાત થઈ રહી છે.