સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા સંકલિત કામગીરીના ભાગરૂપે, ઘણા વર્ષોથી ફરાર એક હત્યાના આરોપીને ગુરુવારે સાઉદી અરેબિયાથી પરત લાવવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. વિદેશી અધિકારક્ષેત્રમાંથી ભાગેડુ ગુનેગારની અટકાયત કરવા સભ્ય રાજ્યની વિનંતી પર ઇન્ટરપોલ નોટિસ જારી કરે છે.
નાયરનું સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું
અધિકારીઓએ જણાવ્યું કે કેરળ પોલીસ 2006ના એક હત્યા કેસમાં સુધીશ રામચંદ્રનને શોધી રહી હતી. એવો આરોપ છે કે રામચંદ્રને જૂની અદાવતમાં મુરલીધરન નાયર પર હુમલો કર્યો હતો.

હુમલામાં નાયરને માથા અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાયરનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ તે ફરાર હતો.
રામચંદ્રન સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે
પોલીસની વિનંતી પર, રામચંદ્રન વિરુદ્ધ 26 મે 2021ના રોજ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. ઈન્ટરપોલ સાથે સંકલન કરીને સીબીઆઈના ગ્લોબલ ઓપરેશન સેન્ટરને માહિતી મળી કે આરોપી રામચંદ્રન સાઉદી અરેબિયામાં છે. સીબીઆઈએ કહ્યું કે ઈન્ટરપોલ, એનસીબી અને રિયાધની મદદથી કેરળ પોલીસની ટીમ આરોપીને 23 નવેમ્બર 2023ના રોજ સાઉદી અરેબિયાથી ભારત લાવી હતી.