કોરોના બાદ લાંબા અંતરની ટ્રેનનો અલીયાબાળા રેલવે સ્ટેશન સહિત ચાર ગામના બંધ થયેલ સ્ટોપેજ ફરી શરૂ કરાવતા સાંસદ પૂનમબેન માડમ

MP Poonamben Madam resuming the stopped stoppage of four villages including Aliybala railway station of long distance train after Corona

જામનગર સંસદીય મતવિસ્તારના ત્રણ મહત્વના સ્થળો ઉપર રેલ્વે વિભાગ દ્વારા કોરોના સમયે રદ કરાયેલ સ્ટોપેજને પુનઃ ચાલુ કરવા માટે સાંસદ પૂનમબેન માડમની રેલ્વે મંત્રીને કરેલ રજુઆત સફળ થઈ

રજુઆતને સુખદ વાચા આપીને મુંબઈ–ઓખા ટ્રેનનો અલીયાબાડા, વડોદરા–જામનગર ઈન્ટરસીટી ટ્રેનનો જામવણથલી, ઓખા–રાજકોટ ટ્રેનનો જાલીયાદેવાણી ખાતે સ્ટોપ મંજુર કરવામાં આવેલ છે

જેની અમલવારી સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજરોજથી અલીયાબાડા રેલ્વે સ્ટેશને જામવંથલી રેલ્વે સ્ટેશને તેમજ જાલીયાદેવાણી રેલ્વે સ્ટેશન ઉપરથી ફલેગ ઓફથી શુભારંભ કરવામાં આવ્યો હતો.