જામનગરમાં તબીબી સારવાર અને વિશેષ સેવાઓ એ હાલના સમયની તાતી માંગ છે જે જન જન નેતંદુરસ્ત અને આત્મનિર્ભરતા પ્રાપ્યત કરવાનુ બળ પુરૂ પાડી જન જન ને એક સુખદ અનુભૂતિનો અહેસાસ કરાવે છે આ બાબત નુ હાર્દ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પની આપણ ને સૌને પ્રેરણા આપનાર આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના આ પ્રબળ થી જામનગરમા ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ જામનગરમા જાહેર જનતા માટે સર્વરોગ નિદાન સારવારનો મેગા કેમ્પ યોજ્યો હતો તેમજ જીવતદાન આપવાની સેવાના પ્રવાહ સમાનરક્તદાન શિબિર પણ યોજી હતી.જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હજારોની સંખ્યામાં લાભ લીધો હતો. આ સર્વરોગ દીધાં કેમ્પમાં અંદાજીત 5000 થી વધુ લોકોએ લાભ લીધો હતો અને તમામ લોકોને નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી.રક્તદાન શિબિરમાં 1251 લોકોએ રક્તદાન કર્યું હતું.
સ્વસ્થ ભારત”ના પ્રણેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સા. ના જન્મદિવસ નિમિતે ઉજવાતા સેવા પખવાડીતા અંતર્ગત સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રક્તદાન શિબિરનુ જામનગરમાં સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા અનન્ય આયોજન થયુ હતુ જેનો હજ્જારો દરદીઓએ લાભ લીધો
હતો અને હરિયાકોલેજ ખાતે આ સુદ્રઢ આયોજનથી બે દિવસ સુધી “હેલ્થ મેલા” સમાન માહોલ બની રહ્યો હતો કેમકે નિદાન સારવાર અને તમામ દવાઓ પુરીપાડવાના આ સેવાયજ્ઞનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બહોળી સંખ્યામા નાગરીકોએ લાભ લીધો હતો.
આ નિદાન કેમ્પમાં જામનગર સહિત અન્ય મોટા શહેરોમાંથી મલ્ટી સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ બોલાવવામાં આવી હતી. આ આયોજનમાં મહત્વપુર્ણ રીતે રક્તદાન શિબિર યોજાઇ હતી જેમા દાતાઓનો અવિરત પ્રવાહવહ્યો હતો અને જીવતદાન આપવાના ઉમદા હેતુ સાથે ખુબજ નોંધપાત્ર સંખ્યામા રક્તદાતાઓ ઉમટી પડતા સૌ ના ઉત્સાહને હ્રદયપુર્વક સંસદસભ્ય પૂનમબેન માડમ એ બિરદાવ્યા હતા.