હર ઘર તિરંગા અભિયાન થકી જામનગરની ૩૦૦થી વધુ મહિલાઓએ મેળવી રોજગારી

More than 300 women of Jamnagar got employment through Har Ghar Tiranga Abhiyan

દિન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ( DAY-NULM) થકી બહેનોએ રાષ્ટ્રધ્વજ બનાવી જનતાને તિરંગો લહેરાવવા કરી વિનંતી

બેરોજગાર મહિલાઓને રોજગારી મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો.

આઝાદી નાં 75 વર્ષ પૂર્ણ થવા બદલ આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે ૧૩ થી ૧૫ ઓગસ્ટ વચ્ચે દરેક લોકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિનંતી કરી છે. આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ શાળા નં-૧ માં ૩૦૦ જેટલી મહિલાઓને રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. સરકારની દિન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ મહિલાઓ તિરંગા બનાવી આજીવિકા મેળવી રહી છે. અને હર ઘર તિરંગા અભિયાનમાં શામેલ થઈ રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહી છે. તે બદલ જામનગરની મહિલાઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

More than 300 women of Jamnagar got employment through Har Ghar Tiranga Abhiyan

સરકારની DAY -NULM યોજના થકી અમને રોજગારી મળી : હિતાક્ષીબહેન

DAY -NULM યોજનાનો લાભ મેળવી રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરીમાં સહભાગી થયેલ જામનગરનાં હિતાક્ષીબેન જણાવે છે કે સરકાર દ્વારા બહેનોને રોજગારી મળી રહે તે માટે સીવણ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. આ યોજના થકી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે એમને રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ અભિયાન થકી અનેક બેરોજગાર બહેનોને રોજગારી મળી છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.

More than 300 women of Jamnagar got employment through Har Ghar Tiranga Abhiyan

૩૦૦ જેટલી મહિલાઓને આ અભિયાન થકી રોજગારી મળી તે બદલ સરકારનો આભાર : ધારાબહેન

સરકાર દ્વારા DAY -NULM ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે તેના થકી અનેક બહેનોને રોજગારી મળી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે તિરંગો દરેક ઘર સુધી પહોંચે. જામનગરની ૩૦૦ જેટલી મહિલાઓને આ અભિયાન થકી રોજગારી મળી છે તે બદલ હું સરકારની ખૂબ ખૂબ આભારી છું.

More than 300 women of Jamnagar got employment through Har Ghar Tiranga Abhiyan

રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરી મળતા ગર્વની લાગણી અનુભવું છું : બિંદિયાબહેન

ઇન્ડીયા સ્કીલ એકેડમી જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ૩૦૦ બહેનોને તિરંગા બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. આ કામ અમે હર્ષ ઉલ્લાસથી ગર્વની લાગણી અનુભવી કરી રહ્યા છીએ. બહેનોને રોજગારી મળી રહી છે તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું. તેમજ તમામ લોકોને પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા વિનંતી કરું છું.