દેશમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી ચાલી રહી છે. ત્યારે હવે સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNLને ઉગારવા માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં BSNLને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે. કેબિનેટની બેઠકમાં સરકારે BSNLને ઉગારવા 1.64 lakh કરોડના પેકેજની મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે BSNL માટે 1.64 lakh કરોડનું પેકેજ મંજૂર કર્યું છે.
ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે BBNL અને BSNLના મર્જરનો પણ નિર્ણય લીધો છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 33,000 કરોડના કાનૂની દેવાને ઈક્વીટીમાં ફેરવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે BSNL 33 હજાર કરોડની બેન્ક લોન ચૂકવવા માટે સોવરીન બોન્ડ ઈસ્યુ કરશે.