જામનગર અને હાપા રેલવે સ્ટેશનમાં યાત્રિકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ઓટોમેટીક ટિકિટ વેન્ડીગ મશીન મૂકવામાં આવ્યું છે. જેના થકી યાત્રિકો ટ્રેનની જનરલ ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટ કાઢી શકશે. તેમજ રેલવેનો પાસ, તેમજ ટ્રેનની ઉપલબ્ધતા પણ આ મશીન પરથી જાણી શકાશે.

રેલવે સ્ટેશન પર યાત્રિકોને પ્લેટફોર્મ ટીકીટ કે જનરલ ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું ન પડે તે માટે જામનગર અને હાપા રેલવે સ્ટેશન પર ઓટોમેટીક ટિકિટ વેન્ડીગ મશીન મૂકવામાં આવ્યું છે. જેના માધ્યમથી રેલ્વે સ્ટેશન પર યાત્રિકો જનરલ ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકશે.

આ ઉપરાંત યાત્રિક રેલવેનો પાસ, ટ્રેનની ઉપલબ્ધતા પણ આ મશીનથી જાણી શકાશે. આ મશીનનો ઉપયોગ યાત્રિકો સ્માર્ટ કાર્ડ તેમજ યુપીઆઈ તેમ બે રીતે કરી શકશે. સ્માર્ટ કાર્ડ યાત્રિક બુકિંગ ઓફિસમાંથી ₹10ભરીને મેળવી શકશે. જેની સાથે રૂ. 50નું રિચાર્જ આપવામાં આવશે.આ કાર્ડની વેલીડીટી લાઈફ ટાઈમ સુધીની રહેશે. આ ઉપરાંત યાત્રિકો આ કાર્ડથી ભારતના કોઈપણ સ્ટેશન પરના ઓટોમેટીક ટિકિટ વેન્ડીગ મશીન પરથી જનરલ ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકશે. યાત્રિકો તેમના જરૂર પ્રમાણમાં કાર્ડમાં રિચાર્જ કરાવી શકશે. આ મશીનમાં હિન્દી ગુજરાતી અને અંગ્રેજી આમ ત્રણ ભાષા છે.