PFI કેસમાં વડોદરા પોલીસ અને ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. PFI સાથેની સાંઠગાંઠના આરોપમાં વડોદરામાં ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ (All India Imams Council -AIIC)નું મદ્રેસા સીલ કરી દેવામાં આવ્યું છે. આ અને વડોદરા ACP ક્રાઈમેં જણાવ્યું કે આ મદ્રેસાની તાપસ કરવામાં આવી, આ મદ્રેસામાં AIICની બેઠક યોજાઈ હતી અને તેને સીલ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દેશભરમાં PFI સામે કરવામાં આવેલી કાર્યવાહીનો રેલો ગુજરાતના વિવિધ જિલ્લાઓ સુધી પહોંચ્યો છે. NIA દ્વારા બનાસકાંઠા, અમદાવાદ સુરત અને નવસારીમાં તપાસ કરવામાં આવી છે. એનએઆઈ દ્વારા આ તપાસ ટેરર ફન્ડિંગ મામલે કરવામાં આવી છે. આ મામલે બનાસકાંઠામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.
આ તપાસ દરમ્યાન બનાકાંઠામાંથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં બનાસકાંઠા માંથી PFI સાથે સંકળાયેલા શંકાસ્પદ ત્રણ શખ્સો ની અટકાયત કરવામાં આવી છે.SOG પોલીસે ત્રણ શખ્સો ની પૂછપરછ માટે અટકાયત કરવાના અહેવાલ સામે આવ્યા છે. તો બીજી તરફ આ મામલો અતિ સંવેદનશીલ હોવાને કારમે પોલીસે સમગ્ર માહિતિ ગુપ્ત રાખી છે. SOGની ટીમે અટકાયત કરાયેલા શખ્સોને વધુ તપાસ અર્થે ATSને સોંપવામાં આવ્યા છે.