જામનગર જિલ્લાના તમામ માછીમારો/મંડળીઓ/બોટ માલિકોને જાણ કરવામાં આવે છે કે, ભારત સરકાર દ્વારા માછીમારો તથા ખેડૂતોને તેમની મુડીની જરૂરિયાતોને પહોચી વળવામાં મદદરૂપ થવાના હેતુસર કિશાન ક્રેડીટ કાર્ડ(KCC) આપવા માટેના કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાનાં તમામ માછીમારોને આપવાના થતા કિશાન ક્રેડીટ કાર્ડ(KCC)ની કામગીરી માટે તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી કેમ્પેઇન હાથ ધરવામાં આવેલ છે. જેની નોંધ લઇ માછીમારી સાથે સંકળાયેલા તમામ લાભાર્થીઓએ યોજનાનો લાભ લેવા માટે જરૂરી સાધનીક કાગળો જેવા કે માછીમારી અથવા મત્સ્ય વેચાણ લાયસન્સની નકલ, ગામ તળાવ જળાશયના ઈજારા હુકમની નકલ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડ, રેશનીંગ કાર્ડની નકલ તથા પાસપોર્ટ સાઇઝના ૨ ફોટા સાથે કચેરી સમય દરમ્યાન મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, મત્સ્યોદ્યોગ ખાતુ, મત્સ્યવીલા-૧, સુમેર ક્લ્બ રોડ, જામનગર ખતે રૂબરૂ સંપર્ક કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક,જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.