કેજરીવાલ આજે ગુજરાત આવ્યા છે. જેઓએ ગુજરાત સરકારની દુખતી નસ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કરી રહ્યાં છે. હું ગેરંટી આપું છું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે, તો અમે જૂની પેન્શન લાગુ કરીશું. ગઇકાલે પંજાબના મુખ્યમંત્રીએ પણ જૂની પેન્શન યોજના અમલી બનાવવા કામગીરી શરૂ કરી દીધી છે. કોઇપણ રાજ્યમાં ચૂંટણીમાં જીતાડવા કે હરાવવા માટે તે રાજ્યના સરકારી કર્મચારીઓ મોટી ભૂમિકા ભજવે છે.

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખિયો ચૂંટણી જંગ ખેલાશે. આ દરમ્યાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, મને બીજેપી પર દયા આવે છે. એમના જેવી નિકકમી પાર્ટી મે ક્યારેય જોઈ નથી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે મોદીના નારા નથી લાગતા હું ગુજરાત આવું ત્યારે ભાજપ-કોંગ્રેસ મારી વિરુધ નારા લગાવે છે.
કેજરીવાલે એરપોર્ટ પર મોદી મોદીના નારા અંગે જણાવ્યું હતું કે મારી સામે મોદી મોદીના નારા લાગ્યા હતા આ મામલે પણ કેજરીવાલ આક્રમક બન્યા હતા. જેઓએ કહ્યું હતું કે, મને રાજકારણ નથી આવડતું. હવે ભાજપને તેમની મજબૂત સીટો પર હારનો ડર લાગી રહ્યો છે. એમની જે મજબૂત 66 સીટો છે એમાંયે એ હારવાના છે. એમાં પણ અમે સેંઘ મારવાના છીએ.
અત્યાર સુધી ભાજપે મારા પર 169 કેસ કર્યાં છે. પરંતુ મને કોઈ ફરક પડતો નથી. કારણ કે મને રાજનીતિ નથી આવડતી મને લોકોના કામ કરતા આવડે છે. તેમણે વધુમાં કહ્યું કે, પંજાબમાં ભગવંત માન ખૂબ સારુ કામ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લાનમાંથી ઉતારી દેવાની વાત બિલકુલ ખોટી હોવાનું અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું.