Site icon Meraweb

આવું તે કેવું !!પૈસા ભરીને પણ પાણી માટે મોથાજી કરવાની”વિશ્વ જળ દિવસે જામનગરના ચાર ગામના ખેડૂતો આંદોલનના માર્ગે

વિશ્વ જળ દિવસે  જળ માટે ખેડૂતોનું આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.જામનગરના કંકાવટી ડેમના સિંચાઈ માટે પાણી મેળવવાખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યોકંકાવટી ડેમના સિંચાઈ પાણી વિતરણમાં અન્યાયને લઈને ખેડૂતોનું ડેમ સાઇટ પરઆંદોલન કરી રહ્યા છે.

જામનગર જિલ્લાના કંકાવટી ડેમ જ્યારથી બંધાયો છે ત્યારથી ડેમનું પાણી સિંચાઈ માટે અનામત રાખવામાં આવ્યુંદર વર્ષે આડેમમાંથી બેરાજારામપરબારાડી અને હડિયાણા સહિત ચાર ગામના 500 ખેડૂતોને સિંચાઈનો લાભ  આપવામાં આવે છેઉનાળુ પાક સિંચાઈ માટે ખેડૂતોએ સરકારમાં નિયત રકમ ભરી દીધી છેસરકારે પણ 67 એમસીએફટી પાણી આપવાનોનિર્ણય કર્યો છે.પણ  નિર્ણય ફેર બદલ કરી સરકારે 15 એમસીએફટી પાણી નદીના વેણમાં છોડી ચેક ડેમ ભરવાનો નિર્ણયકર્યો છેજેને લઈને ખેડૂતોને સિંચાઈનું પાણી ઓછું મળતા પાક નિસફળ જશે એવી ખેડૂતોને ભીતિ છે.જો પૂરું પાણી નહીંઆપવામાં આવે તો આંદોલન ચાલુ રહેશે અને ઉગ્ર પણ બનશે એમ ખેડૂતો જણાવે છે.  

 ચાર ગામના 150 ખેડૂતોને 450 હેકટરમાં ઉનાળુ પાકની સિંચાઈ માટે સાડા ચાર લાખ રૂપિયા ભર્યા છે અને નિયત મુજબ67 એમસીએફટી પાણી આપવાનું થાય છેપરંતુ સરકારે 15 એમસીએફટી પાણી ડેમના વહેણમાં છોડી ચેક ડેમ ભરવાનોનિર્ણય કર્યો છે જથ્થો છોડવામાં આવશે તો ખેડૂતોને બે પાણની તંગી થશે જેને કારણે પાક નિષ્ફળ જશે એવી ધારણા સાથેઆજે ખેડૂતો ડેમ સાઇટ પર આંદોલન પર બેઠા છે.જ્યાં સુધી પૂરતા પાણીની બાહેધરી નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુરાખવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.